Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બજેટ 2025 ટકાઉ વિકાસ માટેનો પાયો નાખશે: ધનપત નહાટા, એસ્સાર ગૃપ

Union Budget 2025: 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટ પર ઘણા રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ઘણા લોકોએ તેને આવકાર્યું છે, તો ઘણા લોકોએ બજેટને વખોડ્યું હતું.

કેન્દ્રીય બજેટ 2025-26 પર એસ્સાર કેપિટલ મેનેજિંગ પાર્ટનર ધનપત નહાટાએ પોતાની પ્રતિક્રિયા
આપી હતી.

ધનપત નહાટાએ જણાવ્યું હતું કે, વર્તમાન ભૂરાજકીય ક્ષેત્રને જોતા ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પૈકીની એક તરીકે તેની સ્થિતિને જાળવી રાખવા માટે નિર્ણયાત્મક અને ભવિષ્યલક્ષી નાણાંકીય રૂપરેખા રાખવાની જરૂર છે.

એસ્સાર કેપિટલ મેનેજિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2025 માટે જીડીપીના 4.8 ટકાની લક્ષ્યાંકિત નાણાંકીય ખાધ અને આગામી વર્ષોમાં તેને ઘટાડવા માટે સુનિશ્ચિત યોજના સાથે આ બજેટ ટકાઉ વિકાસ માટે પાયો નાંખે છે, આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે અને વૈશ્વિક બજારમાં ભારત સ્થિતિસ્થાપક રહે તે સુનિશ્ચિત કરે છે.

Dhanpat Nahata

ધનપત નહાટાએ જણાવ્યું હતું કે, 2025નું કેન્દ્રીય બજેટ લક્ષ્યાંકિત, વ્યૂહાત્મક રોકાણો સાથે નાણાંકીય શિસ્તતાને અસરકારક રીતે સંતુલિત કરે છે. મેરિટાઇમ, એનર્જી ટ્રાન્ઝિશન અને માઇનિંગ જેવા મહત્વના સેક્ટર્સ પર ધ્યાન આપીને સરકારે વિકસિત ભારત માટેનો પાયો નાંખ્યો છે.

એસ્સાર કેપિટલ મેનેજિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે, આ રોકાણો નવીનતાને તથા રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે, જે સુનિશ્ચિત કરશે કે આર્થિક વિકાસ સ્થિતિસ્થાપક, ટકાઉ અને સમાવેશક રહે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X