જાણો : ભારતમાં ઓનલાઇન ખરીદીમાં 200 ટકાનો વધારો કેવી રીતે થયો?
નવી દિલ્હી, 9 ઓક્ટોબર : બિઝનેસ અને ઈન્ડસ્ટ્રિયલ ગ્રુપ એસોચૈમનાં સર્વે પ્રમાણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની ઓનલાઇન ખરીદીમાં 5થી 50 ટકા નહીં પૂરા 200 ટકાનો વધારો થયો છે. એસોચેમ દ્વારા આ પાછળનું મહત્વનું કારણ સ્માર્ટફોનના વધેલા વપરાશને માને છે. આ સર્વેક્ષણના અન્ય રસપ્રદ તારણો જાણવા આગળ ક્લિક કરો...
ભારતમાં ઓનલાઇન ખરીદીમાં 200 ટકાનો વધારો કેવી રીતે થયો તે જાણવા આગળ ક્લિક કરો...

મોબાઇલ એપ્પથી ખરીદીનું પ્રમાણ વધ્યું
એસોચેમના સર્વેક્ષણના તારણમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ગયા વર્ષની તુલનામાં મોબાઈલની મદદથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. કારણ કે મોટા ભાગના ઓનલાઇન રિટેલર્સે પોતાની મોબાઇલ એપ્પ લોન્ચ કરી છે. એસોચૈમનું અનુમાન છે કે આ વખતે ઓનલાઈન ખરીદી 350 ટકા સુધી વધી શકે છે.

ઓનલાઇન ખરીદીમાં લોકોનો વિશ્વાસ વધ્યો
સર્વેક્ષણના તારણો પ્રમાણે ઓનલાઈન ખરીદીમાં વિશ્વાસ ન રાખનારા અને તે વિશે ગેરમાન્યતા રાખનારા લોકોની સંખ્યામાં 50થી 55 ટકા ઘટાડો નોંધાયો છે.

દિવાળી ઓફર્સને કારણે ખરીદી વધશે
ભારતમાં આ વર્ષે દિવાળીમાં ઓનલાઈન ખરીદી 10,000 કરોડ રૂપિયાને પાર પહોચે તેવું અનુમાન છે. જો આ આંકડો પાર થઈ ગયો છે અને ઓનલાઈન ખરીદીનું માર્કેટ નવાં સફળતાનાં શિખર સર કરશે.

ઇ-કોમર્સ માર્કેટ એક લાખ કરોડનું થશે
એસોચૈમ સર્વે પ્રમાણે ભારતમાં ઈ-કોમર્સ માર્કેટ 12,000 કરોડને પાર જઈ શકે છે. અને આગામી ત્રણથી ચાર વર્ષમાં આ આંકડો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

કઇ વસ્તુઓનું વેચાણ સૌથી વધારે?
તહેવારોમાં ઓનલાઈન ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ પાંચ ગણો વધારો થયો છે. બ્રાન્ડેડ કંપનીઓનાં મોબાઈલ, કપડાં, મેક અપ કિટ, જ્વેલરી,ગિફ્ટ અને ફૂટવેર જેવી વસ્તુઓ વધુ વેચાય છે.

શા કારણે લોકોને પસંદ છે ઓનલાઇન ખરીદી?
સર્વે પ્રમાણે ફક્ત ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2014માં જ ઈ કોમર્સ વેચાણ ગત વર્ષની સરખામણીએ 200 ટકા વધી ગયુ છે. ઈ કોમર્સ ખરીદીમાં ટાઈમલેસ ડિલીવરી સેવા આપે છે. તેમજ કોઈ ચાર્જ પણ વસુલતી નથી અને આ માટે કોઈ એડવાન્સ પેમેન્ટ પણ કરવાનું રહેતું નથી તેથી જનતાનો વિશ્વાસ વધ્યો છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ





Click it and Unblock the Notifications
