જાણો શા માટે આર્યન લેડી તરીકે ઓળખાય છે ઇન્દિરા ગાંધી
આયર્ન લેડી તરીકે વિશ્વ વિખ્યાત ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ આનંદ ભવન, અલ્હાબાદમાં દેશના આર્થિક અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ પરિવારમાં થયો હતો.
આયર્ન લેડી તરીકે વિશ્વ વિખ્યાત ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ આનંદ ભવન, અલ્હાબાદમાં દેશના આર્થિક અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત જવાહરલાલ નેહરૂ અને માતાનું નામ શ્રીમતી કમલા નેહરૂ અને દાદાનું નામ પંડિત મોતીલાલ નહેરૂ હતું. તેમના દાદા દેશના જાણીતા વકીલ હતા. તેમને તેમના દાદા વધુ લાડ કરવવામાં આવતા હતા. કારણ કે, તેઓ ઘરના એકમાત્ર બાળક હતો.

ઇન્ડિરા ગાંધીનું પૂરું નામ 'ઈન્દિરા પ્રિયદર્શિની' હતું. તેણીને હુલામણુ નામ પણ મળ્યું જે 'ઇન્દુ' હતું, જે ઇન્દિરાનું ટૂંકું સ્વરૂપ હતું. તેમના દાદા પંડિત મોતીલાલ નેહરૂ દ્વારા તેમનું નામ ઈન્દિરા રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે કાંતિ, લક્ષ્મી અને શોભા. આ નામ પાછળનું કારણ એ હતું કે, તેમના દાદાને લાગ્યું કે તેમને મા લક્ષ્મી અને દુર્ગા પૌત્રીના રૂપમાં મળી છે.
ઈન્દિરાએ ગુજરાતી પારસી ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા બાદ તેમની અટક 'ગાંધી' પડી. ઇન્દિરાને બાળપણમાં પણ સ્થિર પારિવારિક જીવનનો અનુભવ ન હતો. આ કારણ હતું કે, વર્ષ 1936માં 18 વર્ષની વયે તેમની માતા શ્રીમતી કમલા નેહરુ લાંબા સંઘર્ષ પછી ક્ષય રોગથી મૃત્યુ પામ્યા હતા અને પિતા હંમેશા સ્વતંત્રતા ચળવળમાં વ્યસ્ત હતા.
ઈન્દિરાનું પ્રારંભિક શિક્ષણ તેમના નિવાસસ્થાન આનંદ ભવનમાં થયું હતું. બાદમાં તેમણે કવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિનિકેતનમાં થોડો સમય શિક્ષણ મેળવ્યું હતું. જે બાદ તે ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગઈ હતી, જ્યાં તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ભારત આવી હતી.
ઈન્દિરાજી શરૂઆતથી જ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતા. બાળપણમાં તેમણે મહાત્મા ગાંધીની પ્રેરણાથી 'બાલ ચરખા સંઘ'ની સ્થાપના કરી અને અસહકાર ચળવળ દરમિયાન કોંગ્રેસ પક્ષને મદદ કરવા બાળકોની મદદથી 1930માં 'વાનર સેના'ની રચના કરી હતી. સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લેવા બદલ સપ્ટેમ્બર 1942માં તેમને જેલવાસ કરવામાં આવ્યો હતો.
વર્ષ 1947માં ઇન્દિરાએ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દિલ્હીના રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં કામ કર્યું હતું. પંડિત નેહરૂ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. તેમણે 1950ના દાયકામાં પંડિત નેહરુના સહાયક તરીકે પણ સેવા આપી હતી. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ ફિરોઝ ગાંધીને મળ્યા હતા. તેણીએ 26 માર્ચ, 1942ના રોજ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો રાજીવ અને સંજય હતા. તેમના પતિ ફિરોઝ ગાંધીનું વર્ષ 1960માં અવસાન થયું હતું.
નેહરૂનું 27 મે, 1964ના રોજ અવસાન થયું હતું. જે બાદ લાલ બહાદુર શાસ્ત્રી દેશના બીજા વડાપ્રધાન બન્યા હતા. 11 જાન્યુઆરી, 1966ના રોજ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અકાળે અવસાન બાદ 24 જાન્યુઆરી, 1966ના રોજ ઈન્દિરા ગાંધી ભારતના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. જે બાદ તેઓ 1967-1977માં સતત ત્રણ વખત અને બાદમાં 1980-84માં ચોથી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા.
1967ની ચૂંટણીમાં તે બહુ ઓછી બહુમતીથી જીતી શકી હતી, પરંતુ વર્ષ 1971માં તે ફરીથી જંગી બહુમતી સાથે વડાપ્રધાન બની અને 1977 સુધી રહી હતી. વર્ષ 1977 બાદ તેઓ ફરી એકવાર વર્ષ 1980માં વડાપ્રધાન બન્યા અને 1984 સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.
ઈન્દિરા ગાંધીએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિશ્વ શક્તિઓ સામે ન ઝૂકવાની નીતિ અને સમયસર નિર્ણય ક્ષમતાથી પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશને આઝાદ કરીને સ્વતંત્ર ભારતને એક નવી ગૌરવપૂર્ણ ક્ષણ આપી હતી. કોઈપણ પરિસ્થિતિ સામે જીતવા અને લડવા માટે મક્કમ અને સંકલ્પબદ્ધ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ભાગલા પાડીને અને વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધની શરમજનક હારની કડવાશને શાંત કરીને માત્ર ઈતિહાસ જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાની ભૂગોળ પણ બદલી નાખી હતી.
આધુનિક ભારતના આર્કિટેક્ટ જવાહરલાલ નેહરૂએ ભારતમાં ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી હતી, પરંતુ તેનો અમલ ઈન્દિરા ગાંધીએ કર્યો હતો. રજવાડાઓની નાબૂદી હોય, બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે કોલસા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ હોય... જેના દ્વારા તેમણે પોતાને ગરીબો અને સામાન્ય માણસોના સમર્થક તરીકે સફળ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામીણ વિસ્તારોના આર્થિક વિકાસ માટે ગ્રામીણ ભારતમાં બેંકોનું વિસ્તરણ થયું હતું. તેમણે 1971ની ચૂંટણી "ગરીબી હટાઓ" ના નારા સાથે જીતી હતી.
ચોથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવા રેડ્ડીને બદલે એક અપક્ષ ઉમેદવાર વી.વી. ગિરીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતાડીને પોતાની અલગ છબી બનાવી હતી.
ઈન્દિરા ગાંધી 16 વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા અને તેમના શાસનકાળ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. જયપ્રકાશ નારાયણે ઈન્દિરા ગાંધીની સરકાર સામે આજ્ઞાભંગની ચળવળ શરૂ કરી હતી. આ અસ્થિરતાને કારણે વર્ષ 1975માં કટોકટી લાદીને તેમના તમામ રાજકીય વિરોધીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ કડક નિર્ણય માટે ઈન્દિરા ગાંધીને ભારે વિરોધ અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1977ની ચૂંટણીમાં ગઠબંધન પક્ષ દ્વારા કોંગ્રેસનો પરાજય થયો હોવા છતાં, તે વર્ષ 1980માં પ્રચંડ બહુમતી સાથે પરત ફર્યા હતા. જે બાદ વર્ષ 1983માં તેમણે નવી દિલ્હીમાં બિન-જોડાણ કોન્ફરન્સ અને તે જ વર્ષે નવેમ્બરમાં કોમનવેલ્થ હેડ્સ ઓફ સ્ટેટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત થઈ.
ઇન્દિરા એક એવી મહિલા કે જેમણે માત્ર ભારતીય રાજકારણ પર જ પ્રભુત્વ જ નહીં, પરંતુ વિશ્વ રાજકારણની ક્ષિતિજ પર પણ નોંધપાત્ર અસર છોડી છે. આ જ કારણ છે કે, તેમને આયર્ન લેડી તરીકે સંબોધવામાં આવે છે. આજે ઈન્દિરા ગાંધી માત્ર પંડિત જવાહરલાલ નેહરૂની પુત્રી હોવાને કારણે જ નહીં, પરંતુ ઈન્દિરા ગાંધી તેમની પ્રતિભા અને રાજકીય મક્કમતા માટે 'વિશ્વ રાજકારણ'ના ઈતિહાસમાં હંમેશા જાણીતા રહેશે. તેમને વિશ્વભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી દ્વારા તેમને સ્પેશિયલ મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
જેવા અનેક મુદ્દાઓ પર ઈન્દિરા ગાંધીને ભારે વિરોધ અને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1984માં સશસ્ત્ર શીખ અલગતાવાદીઓએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં આશરો લીધો હતો. બળજબરીથી તેમને મંદિરની અંદર સેના મોકલવી પડી હતી. 31 ઓક્ટોબર 1984ના રોજ વડાપ્રધાનના નિવાસસ્થાને તેમના જ બે શીખ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
ઈન્દિરા ગાંધીની હત્યાના એક દિવસ પહેલા ઓડિશા તેમનું છેલ્લું ભાષણ આપતાં જણાવ્યું હતું કે, 'હું આજે જીવિત છું, કાલે કદાચ દુનિયામાં ન હોઉં, તેમ છતાં હું મારા અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરતી રહીશ અને જ્યારે હું મારા લોહીનું દરેક ટીપું ભારતને શક્તિ આપશે અને અખંડ ભારતને જીવંત રાખશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
