One Nation One Election : નરેન્દ્ર મોદી સરકાર અધવચ્ચે ચૂંટણી કરાવશે?
One Nation One Election : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવાની વાત કરી રહી છે. આ બીલને કેબિનેટની મંજુરી મળી ગઈ છે.
આ બીલ સંસદમાં આવે કે પહેલા ચર્ચા શરૂ થઈ છે કે નરેન્દ્ર મોદી સરકાર તેને લાગુ કરવા વચ્ચે ઈલેક્શન કરાવશે કે કેમ?
વન નેશન વન ઈલેક્શનને સંસદ અને રાજ્યની વિધાનસભાઓ માટે નિશ્ચિત પાંચ વર્ષની મુદતની અખંડિતતા જાળવવા બનાવાયુ છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કોઈ પણ રાજ્યની સરકાર તેની મુદત પૂરી કરતા પહેલા પડી જાય અથવા તો વિસર્જન થઈ જાય તો શું સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજશે?

જણાવી દઈએ કે, વન નેશન વન ઈલેક્શન બિલનો ડ્રાફ્ટ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોના આધારે તૈયાર કરાયો હતો. કાયદા મંત્રાલય દ્વારા 2 સપ્ટેમ્બર 2023 ના રોજ રચવામાં આવેલી સમિતિને આ મહત્વપૂર્ણ આને સરળ બનાવવા માટે જરૂરી કાયદાકીય અને બંધારણીય સુધારાઓની શોધ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ડ્રાફ્ટ અનુસાર, સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભાના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ દ્વારા સૂચિત કરવા માટે નિશ્ચિત તારીખ પર એકસાથે ચૂંટણીઓ અમલમાં આવશે. બંધારણ સુધારા વિધેયક અનુસાર, આ નિર્ધારિત તારીખ પછી ચૂંટાયેલી તમામ રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ લોકસભાના સંપૂર્ણ કાર્યકાળ સાથે સમાપ્ત થશે અને અને દેશમાં એક સાથે ચૂંટણીનો માર્ગ મોકળો કરશે.
આનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે, જેનાથી સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટેની પરિસ્થિતિઓ ઊભી થાય.
જો કે, દેશમાં એક સાથે ચૂંટણી યોજવાનો મુદ્દો 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભાના પ્રથમ સત્રના સમય પર નિર્ભર છે, કારણ કે 2024માં ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક પસાર થઈ ગઈ છે, હવે નવી સરકારની રચના થશે 2029ની ચૂંટણી પછી એક સાથે ચૂંટણી યોજવાની તારીખ પ્રથમ બેઠકમાં નક્કી થઈ શકે છે. આનો અર્થ એ થયો કે 2034 સુધી જ સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવામાં આવી શકે છે.
પાંચ વર્ષની મુદત પૂરી કરતા પહેલા સરકાર પડી જશે તો ચૂંટણી થશે? આ સવાલનો જવાબ હા છે. જો કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા અથવા વિધાનસભા પૂર્ણ મુદતની સમાપ્તિ પહેલાં વિસર્જીત થાય તો તે વિધાનસભાની બાકીની પાંચ વર્ષની મુદત માટે મધ્યસત્ર ચૂંટણીઓ થશે.












Click it and Unblock the Notifications
