આ 11 લોકોના ભરોસે છે નાણામંત્રી અરૂણ જેટલીનું કેરિયર
નવી દિલ્હી, 28 મે: દેશના નવા નાણામંત્રી અરૂણ જેટલીને જ્યારે નાણા મંત્રાલયની સાથે-સાથે કોર્પોરેટ અફેયર્સ અને રક્ષા મંત્રાલય આપવામાં આવ્યું, જે ચારો તરફ ચર્ચા થવા લાગી કે એક વ્યક્તિ પર રક્ષા અને નાણાંનો ભાર સોંપવો યોગ્ય નથી. ત્યારે અરૂણ જેટલી કહ્યું કે થોડા દિવસો બાદ રક્ષા મંત્રાલય બીજા કોઇને સોંપવામાં આવે.
આ સાથે જ પ્રશ્ન ઉઠાવવા લાગ્યા કે ભારતના વિકાસ દરને અરૂણ જેટલી ઉપર ઉઠાવવામાં સફળ થઇ શકશે કે નહી? તો જવાબ છે- અર્થ વ્યવસ્થાનો ભાર ફક્ત અરૂણ જેટલીના ખભા પર નહી હોય, પરંતુ 11 અન્ય લોકો પણ તેમની સાથે ખભાથી ખભો મિલાવીને ઉભો રહેશે. એ કહેવું ખોટું નહી હોય કે જો આ 11 લોકોએ યોગ્ય રીતે કામ ન કર્યું તો ચૂંટણી જીત્યા વિના નાણામંત્રી અરૂણ જેટલીનું કેરિયર અધરમાં લટકી શકે છે.
સરળ ભાષામાં જોઇએ તો નવી સરકારમાં કુલ 12 લોકોને એવા વિભાગ આપવામાં આવ્યા છે, જે સીધી રીતે અર્થ વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કરી શકે છે. અરૂણ જેટલી બાદ જેમના નામ આવે છે આ પ્રમાણે છે-

વાણિજ્ય ઉદ્યોગ તથા કપડા
નિર્મલા સીતારમન પાસે વાણિજ્ય ઉદ્યોગ તથા કપડા મંત્રાલય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એક્સપોર્ટ પર હશે, જેથી દેશને વધુમાં વધુ કમાણી થઇ શકે.

ખાદ્ય તથા ઉપભોક્તા મંત્રાલય
રામ વિલાસ પાસવાન ઉપર સૌથી મોટી જવાબદારી એટલા માટે રહેશે, કારણ કે ખાદ્ય સુરક્ષા કાનૂનને લાગૂ કરવાની જવાબદારી એનડીએ સરકાર પર રહેશે. એવામાં ખાદ્ય વિતરણ એકદમ મહત્વપૂર્ણ છે. આટલું જ નહી વપરાશકર્તા સુધી વસ્તુઓ યોગ્ય સમયે તથા યોગ્ય ભાવે પહોંચી રહી છે કે નહી આ વાતનો પણ ખાસ ખ્યાલ રામ વિલાસ પાસવાને રાખવો પડશે.

પેટ્રોલિયમ રાજ્યમંત્રી
એકદમ સંવેદનશીલ મંત્રાલય ધમેન્દ્ર પ્રધાનની પાસે છે, કારણ કે દેશની મોંઘવારી તેના પર ટકેલી રહે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ પર મંડળનું નિયંત્રણ થઇ શકતું નથી, જેથી તેમનું નામ એકદમ કઠીન છે.

ટ્રાંસપોર્ટ તથા જહાજરાણી મંત્રી
આ વિભાગ પણ સીધી રીતે કિંમતો સાથે જોડાયેલ છે. જો આ વિભાગને યોગ્ય રીતે ચલાવવામાં ન આવ્યો, તો અરૂણ જેટલીનો પુરો પ્લાન ઠેરનો ઠેર રહી જશે અને મોંઘવારી નીચે આવી શકશે નહી.

ટેલીકોમ તથા આઇટી
ભારત માટે ટેલિકોમ રાજસ્વનો મોટો સ્ત્રોત છે, જ્યારે આઇટી ઇંડસ્ટ્રીમાં પહેલાં જ ભારતે મહત્વપૂર્ણ કામ કર્યા છે. એવામાં રવિશંકર પ્રસાદ પર મોટી જવાબદારી રહેશે કે આ બંને વિસ્તારોને કેવી રીતે વધુ આગળ વધારી શકાય.

રસાયણ તથા ખાદ્ય મંત્રી
દેશની અર્થવ્યવસ્થા કૃષિ પર ટકેલી છે, જો કે કૃષિ ઉત્પાદન કેટલું પણ સારું હશે આ અનંતની અનંત સેવાઓ પર નિર્ભર કરશે.

ઉર્જા તથા કોલસા મંત્રી
ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્ય વિજળી સંકટનો સામનો કરી રહ્યાં છે. દેશની અર્થવ્યવસ્થામાં આવનાર મોટું વિધ્ન છે, જો કે પીયૂષ ગોયલ પર મોટી જવાબદારી હશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી
પ્રાઇવેટ એરલાઇન્સની વધતી જતી મોંઘવારીના લીધે આ વિભાગ દબાયેલો કચડાયેલો અનુભવી રહ્યો છે. તેનો પ્રભાવ દેશની અર્થ વ્યવસ્થા પર પણ પડે છે.

રેલવે મંત્રી
રેલ નેટવર્ક પર દેશના તમામ મોટા કોર્પોરેટ હાઉસીસ પર નિર્ભર છે, જો કે ગુડ્સ ટ્રેન માટે નવા નેટવર્કને વધારવા તથા તેને પ્રોફિટેબલ બનાવવો જરૂરી છે.

પર્યાવરણ તથા સૂચના અને પ્રસારણ મંત્રી
દેશમાં નવા પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપતી વખતે સરકારને દેશની ગ્રીનરીની પણ ખાસ ખ્યાલ રાખવો પડે છે. એવામાં પ્રકાશ જાવડેકરની ભૂમિકા એકદમ મહત્વપૂર્ણ છે.

કૃષિ મંત્રી
જેમ કે નમોએ પોતાની દરેક રેલીમાં રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે, જેથી અનાજ બરબાદ થાય નહી. જો રાધા મોહન તેમાં સફળ થઇ ગયા, તો કૃષિને મજબૂત ક્ષેત્રના રૂપમાં આપણે જોઇશું.












Click it and Unblock the Notifications
