ભારતમાં 46% પરિણીત પુરુષોને છે એકસ્ટ્રા મેરિટલ અફેર, જાણો સર્વેમાં મહિલાઓનો સ્કોર
ભારતીય સમાજમાં 'લગ્ન' એક એવું પવિત્ર બંધન છે, જેને પતિ-પત્ની નિષ્ઠા અને સમર્પણથી નિભાવે છે. સાત ફેરાનું બંધન સાત જન્મો સુધી જોડાઈ જાય છે. ભારતીય સમાજમાં લગ્નને પવિત્ર માનવામાં આવે છે. બંને એકબીજા માટે પ્રતિબદ્ધ છે.
પરંતુ હવે ભારતીય સમાજમાં વિદેશી સંસ્કૃતિ દેખાવા લાગી છે તેમ ડેટિંગ એપ ગ્લીડનનો રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. જેણે લગ્નોમાં બેવફાઈનો પર્દાફાશ કરીને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ આ રિપોર્ટમાં શું છે.

ડેટિંગ એપ ગ્લીડનના સર્વે રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ ડેટિંગ એપનો દાવો છે કે ભારતીય સમાજમાં પરિણીત યુગલો બેવફાઈ તરફ વધુ વલણ ધરાવે છે. એવું પણ કહેવાય છે કે 60 ટકાથી વધુ યુગલો બીજાને ડેટ કરવા માંગે છે. આ માટે તેઓ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિવાહિત યુગલો અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા કપલ્સ સ્વિંગિંગ તરફ આગળ વધી રહ્યા છે. એટલું જ નહીં, સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલ્સ ડેટિંગની અલગ-અલગ રીતો પણ અજમાવી રહ્યા છે.
ખાસ કરીને, ભારતીય સમાજમાં, પ્રતિબદ્ધતા અને પ્રેમને હંમેશા ઉચ્ચ સન્માનમાં રાખવામાં આવે છે અને પવિત્ર માનવામાં આવે છે. જો કે, આ અભ્યાસ આધુનિક ભારતીય સંબંધોનું ચિત્ર દર્શાવે છે, જે એકદમ સ્પષ્ટ રીતે વિકસિત થઈ રહ્યા છે.
સર્વે અનુસાર, 46 ટકા પુરુષો ઘરની બહાર અફેર ચલાવવા માટે સક્ષમ છે. તેઓ જાણે છે કે વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો. જેમ કે સોશિયલ મીડિયા દ્વારા, ડેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો અને વ્યક્તિગત રીતે શોધવું. રિપોર્ટ અનુસાર મહિલાઓની સંખ્યા ઓછી છે. લગભગ 33થી 35 ટકા લોકો તેમના પાર્ટનર સિવાય અન્ય કોઈ સાથે અફેર રાખવાનું વિચારે છે.












Click it and Unblock the Notifications
