સ્તનપાન કરાવતી માને ક્યારેય ન પૂછતા આવા સવાલ
આવતી વખતે કોઈ સ્તનપાન કરતી મા પર કમેન્ટ કરવા કે તેને પ્રશ્ન પૂછતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખજો.
મા બન્યા બાદ બધુ બદલાઈ જાય છે. પોતાના નવજાત બાળકની દેખરેખ કરવા ઉપરાંત નવી માને બીજી પણ ઘણી બધી વાતોનો સામનો કરવો પડે છે જેમકે પોતાની આસપાસના લોકો પાસેથી મળતી અયોગ્ય સલાહ અને પ્રશ્ન. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના અનુભવથી શીખે છે. જીવનમાં દરેક વસ્તુ માટે કોઈ એક જ નિયમ કાયદો નથી બન્યો. સમય અને જરૂરિયાત મુજબ ફેરફાર થતો રહે છે અને આ વાત બાળકોના પાલનપોષણ પર પણ લાગુ થાય છે. હવે આવતી વખતે કોઈ સ્તનપાન કરતી મા પર કમેન્ટ કરવા કે તેને પ્રશ્ન પૂછતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખજો.

શું તને લાગે છે કે બાળકનુ પેટ ભરાઈ રહ્યુ છે?
સ્તનપાન કરાવતી મા પોતાની સ્વાભાવિક બુદ્ધિથી કામ કરે છે અને મુશ્કેલીથી પૂરતી ઉંઘ લઈ શકે છે. સંભવતઃ તેની પાસે એ વાતનુ ચોક્કસ પ્રમાણ નથી હોતુ કે બાળકનુ પેટ ક્યારે પૂરુ ભરેલુ છે પરંતુ તમે આરામ કરો કારણકે તે હજુ શીખી રહી છે. સ્વાભાવિક છે કે બાળક પોતે ક્યારેય કહી ન શકે કે તેનુ પેટ ભરેલુ છે કે નહિ પરંતુ મા આ વાત સમજે છે અને તેની સહજ બુદ્ધિ એ કહી શકે કે ક્યારે તેનુ બાળક ભૂખ્યુ છે અને ક્યારે બાળકનુ પેટ ભરેલુ છે. જો તે ન પણ જાણતી હોય તો તમે પણ પ્રશ્ન પૂછીને તેની મદદ નથી કરી રહ્યા.

સ્તનપાન કરાવવાથી મારા સ્તન ખરાબ થઈ ગયા
ગર્ભાવસ્થા દરમિયાન તથા પ્રસવ બાદ મહિલાઓએ ઘણુ બધુ સહન કરવુ પડે છે. એ સારુ રહેશે કે સ્તનપાન સાથે જોડાયેલી કઠોર વાતો તમે તમારા સુધી જ મર્યાદિત રાખો. વળી,એસ્થેટિક સર્જરી જર્નલના અભ્યાસ અનુસાર સ્તનોનુ લટકી જવાનુ કારણ ગર્ભાવસ્થા હોય છે નહિ કે સ્તનપાન કરાવવુ.

મે મારા બાળકોને સ્તનપાન નથી કરાવ્યુ અને તે તંદુરસ્ત છે
આ બહુ સારી વાત છે પરંતુ જો કોઈ મા પોતાના બાળકને સ્તનપાન કરાવવા ઈચ્છતી હોય તો તેનાથી તમને અને તમારા બાળકને કંઈ સંબંધ નથી. આ પોતાની પસંદની વાત છે.

શું સ્તનપાન કરાવવા માટે તમારુ બાળક થોડુ મોટુ નથી?
શું તમને એવુ નથી લાગતુ તે આમાં તમારી દખલઅંદાજીની કોઈ જરૂર નથી? દરેક બાળક અલગ હોય છે અને એ જ રીતે તેની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. અમુક લોકો માટે વધુ સમય સુધી બાળકે દૂધ પીવડાવવુ સુવિધાજનક નથી હોતુ પરંતુ આનો અર્થ એવો નહિ કે આ યોગ્ય નથી. એનાથી ઉલટુ અમેરિકન એકેડમી ઑફ પીડિયાટ્રીક્સ અનુસાર બાળકને એક વર્ષ સુધી સ્તનપાન કરાવવુ જોઈએ અને મા તથા બાળક જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેને ચાલુ રાખી શકે છે. એ વાતનો કોઈ મતલબ નથી કે તમારી મા, બહેન કે તમારી સારી દોસ્તે શું કર્યુ હતુ.

બાળકના વારંવાર માંગવા પર સ્તનપાન કરાવવાથી બાળક બગડી જાય છે
નવજાત બાળકની માંગો ઘણી વધુ હોય છે જેમાં ફેરફાર કરી શકાય છે. તમે આટલા નાના બાળકને બગાડી ન શકો. અમુક નવજાત બાળકોને દર 1.5 કલાક બાદ અને અમુકને દર 3 કલાક બાદ સ્તનપાન કરાવવાની જરૂર હોય છે. નવજાત બાળકને એક દિવસમાં 8થી 12 વખત સ્તનપાન કરાવવુ સામાન્ય છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
