IndianAirForceDay: ભારતીય વાયુ સેના, ભારતનું અભિન્ન અંગ
ભારતીય વાયુ સેનાની આજથી 85 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આજે વાયુ સેના આપણુ અભિન્ન અંગ બની ગઈ છે. આ અંગે વધુ વાંચો અહીં..
8 ઓક્ટબર, ભારતીય વાયુસેના દિવસ. 85 વર્ષ પહેલા એટલે કે ઇ.સ.1932ને 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેનાની સ્થાપના કરવામાં આવી હતી. ભારતની ત્રણે સેનાઓમાં વાયુ સેનાનું એક આગવું મહત્વ છે. આપણી સેનાના એક અભિન્ન અંગ સમાન વાયુ સેના કામ કરે છે. આપણે તેનો વાયુ યુદ્ધ, વાયુ સુરક્ષા અને વાયુ સીમાની રક્ષા માટે ઉપયોગ કરીએ છીએ. તો આપણી આ સેનાની કેટલીક યાદગાર બહાદુરીઓ પર એક નજર કરીએ.

ભારત અને વાયુસેના
આપણને વર્ષ 1947ના દિવસે આઝાદી મળી. પરંતુ જ્યાં સુધી આપણા બંધારણની રચના ન થઈ ત્યાં સુધી ભારતની અનેક વસ્તુ અંગ્રેજોના સમયના નામથી જ ચાલતી હતી. 1950માં આપણા બંધારણની રચના થઈ એ પહેલાં વાયુ સેના 'રોયલ ઇન્ડિયન એરફોર્સ'ના નામથી ઓળખવામાં આવતી હતી. જે 1950 બાદ 'ઇન્ડિયન અરેફોર્સ'ના નામથી ઓળખવામાં આવે છે.

એપ્રિલ 1933
એપ્રિલ 1933માં આઇએએફની પહેલી સ્ક્વાડ્રન નંબર વનને તૈયાર કરવામાં આવ્યું. એ સમયે સક્વાડ્રનમાં ચાર બાયપ્લેન અને માત્ર પાંચ પાયલેટ હતા. તે સમયે આઇએએફના પાયલેટને રોયલ એરફોર્સના કમાડિંગ ઓફિસર ફ્લાઇટ લેફ્ટિનેંટ સેસિલ બાશિયર લીડ કરી રહ્યા હતા.

ચાર યુદ્ધો
આઝાદી બાદ ભારતના યુદ્ધોમાં આપણી વાયુ સેનાએ ઘણી બહાદુરી બતાવી છે. પાકિસ્તાન સામે થયેલા ચાર યુદ્ધ અને ચીનની સામે થયેલા એક યુદ્ધમાં વાયુ સેના પોતાની શક્તિ બતાવી ચુકી છે. આ ઉપરાંત વાયુ સેનાએ ઘણા યાદગાર ઓપરેશનો પણ પાર પાડ્યા છે. જેમાં ઓપરેશન વિજય-ગોવાનું અધિગ્રહણ, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ અને ઓપરેશન પુમલાઇનો સમવેશ થાય છે. તે સિવાય ભારતીય વાયુ સેના સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનનો પણ એક ભાગ છે.

વાયુ સેનાના અધ્યક્ષ
ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુસેનાના કમાન્ડર ઇન ચીફના રૂપમાં કામ કરે છે. વાયુ સેનાઅધ્યક્ષને એર ચીફ માર્શલ કહેવામાં આવે છે. તેઓને ચાર સિતારા કમાન્ડર પણ કહેવામાં આવેે છે. તેઓ વાયુ સેનાનું નેતૃત્વ કરે છે. ભારતમાં એક સમયે એક જ એર ચીફ માર્શલ હોય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
