Indian Passport : કેટલા પ્રકારના હોય છે ભારતીય પાસપોર્સ? જાણો તેની સાથે કેવી સુવિધાઓ મળે છે?
Indian Passport : કોઈપણ દેશના નાગરીકોએ પોતાના દેશ બહાર જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. વિવિધ દેશોની સરકારો અલગ-અલગ પ્રકારના પાસપોર્ટ જારી કરે છે.
આવી જ રીતે ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ જારી કરવામાં આવે છે. તેનાં રંગ અલગ-અલગ હોય છે. આ પાસપોર્ટની સુવિધાઓ પણ વિવિધ હોય છે. અહીં અમે તમને ત્રણેય રંગના પાસપોર્ટ વિશે વિગતવાર માહિતી આપીશું.

બ્લુ પાસપોર્ટ (Ordinary Passport)
આ પ્રકારનો પાસપોર્ટ સામાન્ય નાગરિકો માટે જારી કરવામાં આવે છે. જે લોકો અભ્યાસ, વેપાર કે પ્રવાસ માટે વિદેશ જતા હોય તેમના માટે આ પાસપોર્ટ જરૂરી હોય છે. ભારતમાં મોટાભાગના નાગરિકોને નીલા રંગનો પાસપોર્ટ જ મળે છે.
સફેદ પાસપોર્ટ (Official Passport)
આ પાસપોર્ટ મુખ્યત્વે સરકારી અધિકારીઓ માટે હોય છે. જે લોકો સરકારી કામ માટે વિદેશ યાત્રા કરે છે તેઓને આ પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ ધરાવનારા લોકોને VISA મેળવવામાં ખાસ સુવિધા મળે છે.
લાલ અથવા મેરૂન પાસપોર્ટ (Diplomatic Passport)
આ પાસપોર્ટ રાજદૂતો, ઉચ્ચાયુક્તો અને અન્ય ઉચ્ચ કક્ષાના રાજનૈતિક અધિકારીઓ માટે જ હોય છે. જે લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે તેઓને આ પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ ધારકોને ખાસ કૂટનીતિક અધિકારો મળે છે.
પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રિયતા સાબિત કરે છે. ભારતમાં વિવિધ પ્રકારના પાસપોર્ટને વિવિધ હેતુઓ માટે આપવામાં આવે છે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હો તો તમારે યોગ્ય પાસપોર્ટ માટે અરજી કરવી જરૂરી છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો










Click it and Unblock the Notifications
