Kargil Vijay Diwas : કારગિલ યુદ્ધમાં ભારતની જીત સાથે છે ઈઝરાયેલનું ખાસ કનેક્શન, કરી હતી ભારતની મોટી મદદ
Kargil Vijay Diwas : 26 જૂલાઈ 1999 ના રોજ ભારતીય સેનાના વીર જવાનોએ કારગિલ હીલ પર ભારતનો પરચમ લહેરાવ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે આ યુદ્ધમાં ઈઝરાયેલે ભારતની મદદ કરી હતી.
કારગિલ યુદ્ધમાંઆપણા સૈનિકોએ તેમનાથી વધુ ઊંચાઈ પર બેઠેલા પાકિસ્તાની સૈનિકોને સીધી લડાઈમાં હાર આપી હતી. આ યુદ્ધમાં ભારતની મદદ માટે ઈઝરાયેલે આગળ આવીને જીતવામાં મદદ કરી હતી.

કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને હથિયારોની જરૂર હતી, જેના માટે ઈઝરાયેલ આગળ આવ્યું. આ યુદ્ધના 22 વર્ષ પછી વર્ષ 2021માં ખુદ ઈઝરાયેલ એમ્બેસીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેણે કારગિલ યુદ્ધમાં ભારતને કેવી રીતે મદદ કરી હતી.
ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કર્યું હતું કે, યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ભારતને મોર્ટાર અને દારૂગોળો આપીને મદદ કરી હતી. ઈઝરાયેલે કહ્યું હતું કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને સીધી મદદ કરનાર કેટલાક દેશોમાંથી તે એક છે.
આ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ભારતીય વાયુસેનાના મિરાજ 2000 ફાઇટર પ્લેન માટે લેસર ગાઇડેડ મિસાઇલો આપી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં ઈઝરાયેલે કારગીલ ઘૂસણખોરી પહેલા ઓર્ડર કરેલા હથિયારોની શિપમેન્ટ ઝડપથી ભારતને સોંપી દીધી. આમાં ઇઝરાયેલના હેરોન અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV)ની ડિલિવરી પણ સામેલ હતી.
કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાને કેટલીક વસ્તુઓની જરૂર હતી જે આપણી પાસે નહોતી. તે સમયે આપણી સેના પાસે દુશ્મનના બંકરોને સચોટ રીતે નિશાન બનાવી શકે તેવા બોમ્બ નહોતા અને ન તો તેમની પોસ્ટ પર જાસૂસી કરવા માટે જાસૂસી વિમાનો હતા. તે સમયે ભારત માત્ર જમીની ગુપ્ત માહિતીના આધારે પાકિસ્તાન સાથે યુદ્ધ લડી રહ્યું હતું.
આ દરમિયાન ઈઝરાયેલે ભારતને શસ્ત્રો અને દારૂગોળો દ્વારા તાત્કાલિક મદદ કરવાની જાહેરાત કરી હતી. નવા શસ્ત્રો ખરીદવા માટે બંને દેશો વચ્ચે ઉતાવળે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ ઈઝરાયેલે તે સમયે અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ તેનું હેરોન ડ્રોન ભારતને સોંપ્યું હતું.
આ ડ્રોન ચલાવવા માટે ઇઝરાયલે ભારતીય કર્મચારીઓને તાલીમ પણ આપી હતી. આ રીતે ભારતને આ યુદ્ધ જીતવામાં મદદ કરવામાં ઈઝરાયેલનું પણ મહત્વનું યોગદાન હતું.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
