ઉંચી બિલ્ડિંગોમાં રહેવાથી ડાયાબિટીસ અને હૃદય રોગ થઇ શકે છે?
જે લોકો ઊંચી-ઉંચી ઇમારતોમાં રહે છે, તેમની માટે એક ખરાબ સમાચાર છે. તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો ઉંચા એપાર્ટમેન્ટ રહેતા લોકોમાં હૃદય રોગ અને ડાયાબિટીસ થવાનું જોખમ વધુ હોય છે.
જે લોકો ઊંચી-ઉંચી ઇમારતોમાં રહે છે, તેમની માટે એક ખરાબ સમાચાર છે. તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો ઉંચા એપાર્ટમેન્ટ રહેતા લોકોમાં હૃદય રોગ અને ડાયાબિટીસ થવાનું જોખમ વધુ હોય છે. સંશોધકોએ સંશોધનમાં મેળવ્યું છે કે જે લોકો વધુ પ્રદૂષણના સંપર્કમાં અથવા ઉંચી ઈમારતોમાં રહે છે તેમનામાં હૃદય રોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના વધુ હોય છે.
સંશોધકોએ પ્રદુષણ અને ઉંચી ઇમારતોમાં રહેતા લોકો વચ્ચેના સંબંધો પર સંશોધન કર્યું. આ તપાસ દરમિયાન, સંશોધનકારો એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે જે લોકો પ્રદુષિત વાતાવરણમાં અથવા લાંબા સમય સુધી ઉંચી ઇમારતોમાં રહે છે, તેઓ હરિયાળીથી દૂર થઇ જાય છે. જેના કારણે તેઓ જલ્દી જ હાયપરટેન્શન અને મેટાબોલિક સિન્ડ્રોમના ભોગ બને છે.
સંશોધકોએ કહ્યું છે કે આવા લોકોમાં ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વારંવાર વધે છે. ડઠે લિપોપ્રોટીન કોલેસ્ટરોલમાં ઘટાડો સાથે, આ લોકોમાં વધુ શુગર અને સ્થૂળતા જેવા લક્ષણો પણ દેખાય છે. આ સંશોધન તે લોકોમાં કરવામાં આવ્યું હતું જેઓ બહુમાળી ઇમારતોમાં રહેતા હતા.
ઘણાં સંશોધનમાં આ સાબિત થયું છે કે વિકાસશીલ દેશોમાં મૃત્યુ પામેલા લોકોની મૃત્યુ હદય રોગને કારણે થાય છે. હાઇબેડ પ્રેશર અને મેટાબોલિઝમ સિન્ડ્રોમ હૃદય રોગના મુખ્ય કારણો માનવામાં આવે છે. મેટાબોલિક સિન્ડ્રોમનો સંબંધ સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગર સાથે સંકળાયેલો છે. માત્ર એટલું જ નહીં, આ બધી સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિઓ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના હાઈ રિસ્કને સંબંધિત છે. જેની પાછળ ઘણી વખત આનુવંશિક કારણો, જીવનશૈલી, આહાર અને પર્યાવરણીય પરિબળો (વાયુ પ્રદૂષણ, નિવાસી આવાસ) ની ગુણવત્તા સામેલ છે.
આ અભ્યાસના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એક વ્યક્તિ માટે ઉંચી ઇમારતોના ઘરોમાં વસવાટની જગ્યાને શક્ય હોય તેટલી બધી જગ્યાને નિયમન કરવી જોઈએ, ઍપાર્ટમેન્ટના અવાજના ઇન્સ્યુલેશનમાં સુધારો કરવો જોઈએ અને ઉંચી ઇમારતોમાં રહેનારા લોકોએ તેમના ઘરોમાં વૃક્ષો રોપવા પ્રોત્સાહીત થવું જોઈએ.
આ પણ વાંચો: નારિયેળ પાણી પીવાના ફાયદા જ નહીં નુક્સાન પણ છે