Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 : મત ન આપવો એ ભારતીયોનો અધિકાર? જાણો શું કહે છે નિયમો?

દેશભરમાં લોકસભા ચૂંટણી માટે વિવિધ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ મતદાન વચ્ચે નોટાની ખુબ ચર્ચા થઈ રહી છે. જો કે કેટલાક લોકો મતાધિકારનો બહિષ્કાર કરતા પણ જોવા મળી રહ્યા છે.

ચૂંટણીમાં દરેક મત મૂલ્યવાન છે અને દેશનું ભાવિ નાગરિકોના મતથી જ નક્કી થાય છે. ચૂંટણીમાં મતદાનની ટકાવારી શક્ય તેટલી ઊંચી રહે તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર પણ ઘણા સ્તરે કામ કરે છે.

Lok Sabha Election 2024

જો કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ના નિયમો હેઠળ, મતદાન અને મતદાન ન કરવા બંનેને ચુંટણી અધિકાર નો દરજ્જો આપવામાં આવ્યો છે. તેની કલમ 79(d)માં મતદારોના મતદાન ન કરવાને ચુંટણી અધિકાર કહેવામાં આવે છે.

દરેક મતદારે EVM માં બટન દબાવીને પોતાનો મત આપતા પહેલા એક પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે. જ્યારે મતદાર મતદાન મથક પર પહોંચે છે ત્યારે મતદાન કરતા પહેલા મતદાન અધિકારી ફોર્મ 17A માં મતદારનો મતદાર યાદી નંબર દાખલ કરે છે. આ પછી મતદાર તેના પર સહી કરે છે.

પરંતુ જો કોઈ વ્યક્તિ ફોર્મ 17A માં પોતાનું નામ નોંધાવ્યા પછી મત આપવાનો ઇનકાર કરે તો શું? આવા કિસ્સાઓમાં ચૂંટણી આચારના નિયમોના નિયમ 49-O હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

શું કહે છે કોડ ઓફ ઈલેક્શન?
ચૂંટણી આચારના નિયમોમાં નિયમ 49-O મુજબ, જો કોઈ મતદાર ફોર્મ-17Aમાં તેના મતદાર યાદી નંબરની નોંધણી અને હસ્તાક્ષર કર્યા પછી મત આપવાનો ઇનકાર કરે તો ફોર્મ-17Aમાં તેની એન્ટ્રી સામે એક કોમેન્ટ લખવામાં આવે છે. આ સિવાય મતદારે તે એન્ટ્રીની સામે પોતાની સહી અથવા અંગૂઠાની છાપ રાખવાની રહે છે.

આવા કિસ્સાઓમાં પોતાનો મતદાર નંબર નોંધાવ્યા પછી મતદાર પ્રિસાઇડિંગ ઓફિસર પાસે જાય છે અને તેને જાણ કરે છે કે તે કોઈ ઉમેદવારની તરફેણમાં મત આપવા માંગતો નથી. તેના પર અધિકારી મતદારની એન્ટ્રીની આગળ Refused to Vote લખે છે. અધિકારી અને મતદાર બંને આ એન્ટ્રી પર સહી કરે છે. આવી તમામ એન્ટ્રીઓ આગળ ચૂંટણી પંચને મોકલવામાં આવે છે. આ માહિતી RTI દ્વારા માંગી શકાય છે.

નિયમ 49-Oની ચૂંટણી પર શું અસર પડે?
જો નિયમ 49-O હેઠળ કોઈને મત ન આપવાનું પસંદ કરનારા મતદારોની સંખ્યા સૌથી વધુ માન્ય મત ધરાવતા ઉમેદવાર કરતાં વધુ હોય તો શું થશે? આ પ્રશ્નનો જવાબ ચૂંટણી પંચની 2008ની સૂચનામાં આપવામાં આવ્યો છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આવા કિસ્સાઓમાં તે બેઠક પર ફરીથી ચૂંટણી યોજવામાં આવશે નહીં. સૌથી વધુ માન્ય મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે.

નિયમ 49-O નો એક ફાયદો એ કહેવાય છે કે તે છેતરપિંડી પર નજર રાખવામાં મદદ કરે છે. આ સાથે કોઈ એક વ્યક્તિ બીજા મતદારના નામે મતદાન કરી શકે નહીં.
જો કે, હવે EVM મશીનોમાં NOTA નો વિકલ્પ ઉપલબ્ધ છે, જે મતદારોને તમામ ઉમેદવારોને નકારવાનો વિકલ્પ આપે છે અને મતમાં છેતરપિંડી પણ અટકાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X