Lok Sabha Election 2024 : શું હોય છે D Voters, જાણો કેમ ભારતમાં રહેતા હોવા છત્તા મત નથી આપી શકતા?
ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે ભારતમાં રહેતા ઘણા એવા લોકો છે જેમને મત આપવાનો અધિકાર નથી.
એક તરફ ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં કેટલાક એવા મતદારો છે, જે આ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ મતદારોને ડી વોટર્સ કહેવામાં આવે છે.

ડી વોટર્સ કોણ છે?
ભારતમાં ચાલી રહેલી 18મી લોકસભા ચૂંટણીમાં 97 કરોડ એટલે કે લગભગ એક અબજ નોંધાયેલા મતદારો છે. તો કેટલાક આવા મતદારો પણ છે. જેમને મત આપવાનો અધિકાર નથી. ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા આસામ રાજ્યમાં મતદારોની એક અલગ શ્રેણી રહે છે.
આ મતદારો ડી વોટર્સ તરીકે ઓળખાય છે. એટલે કે તે શંકાસ્પદ મતદારો કહેવાય છે. આસામમાં આ શંકાસ્પદ મતદારોની કુલ સંખ્યા 1 લાખથી વધુ હોવાનું કહેવાય છે. આ મતદારોની નાગરિકતા પ્રશ્નના ઘેરામાં છે. જેના કારણે તેમને હજુ સુધી મતદાનનો અધિકાર મળ્યો નથી.
ડી વોટર્સની ઓળખ કેવી રીતે થાય છે?
ભારતની સીમા બાંગ્લાદેશને અડીને છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશથી આસામમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. 1980 ના દાયકામાં ઘણા સંગઠનો આસામમાં ગેરકાયદેસર સ્થળાંતરનો વિરોધ કરી રહ્યા હતા.
વિરોધ કરી રહેલા સંગઠનની માંગ હતી કે લોકો પાસે યોગ્ય દસ્તાવેજો નથી. તેમની ઓળખ કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવે.
હવે ભારતમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં આ હિંદુ મતદારોને નાગરિકતા મળવાની શક્યતાઓ વધારે છે. 1997 માં ભારતના ચૂંટણી પંચે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને ઓળખવા માટે એક યોજના શરૂ કરી હતી અને આ યોજના હેઠળ ભારત સરકારે આવા મતદારોની ઓળખ કરી અને તેમના નામની આગળ ડી લગાવી દીધુ. વર્ષ 1997માં તેમની સંખ્યા 3.3 લાખ હતી. તો 2024માં તે ઘટીને 97 હજાર થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
