Maha kumbh 2025 : કોણ હોય છે જંગમ સાધુ? કેમ તેમના રહસ્યો બહુ ઓછા લોકો જાણે છે?
Jangam Sadhu : પ્રયાગરાજના મહાકુંભ મેળામાં દુનિયાભરમાંથી સાધુઓ આવી રહ્યાં છે. ઘણા સાધુુઓ એવા પણ છે જે આજે પણ એક રહસ્ય બનેલા છે.
આવા જ એક સાધુ જંગમ સાધુ છે. શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા આ સાધુઓ દેખાવમાં અલગ તરી આવે છે અને તેમના વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે.

માન્યતા છે કે જંગમ સાધુનો જન્મ શિવની જાંઘમાંથી થયો છે અને એટલે જ તેમને જંગમ સાધુ કહેવામાં આવે છે. તેમને જંગમ જોગીઓ પણ કહેવામાં આવે છે. જંગમ સાધુઓ શૈવ સંપ્રદાય સાથે સંકળાયેલા છે.
માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને લગ્ન માટે દક્ષિણા આપવા માંગતા હતા ત્યારે તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ પછી ભગવાન શિવે પોતાની જાંઘ પર પ્રહાર કર્યો અને ભટકતા ઋષિઓનું સર્જન કર્યું. તેમણે જ મહાદેવ પાસેથી દાન લીધું અને લગ્નમાં ગીતો ગાયા અને દક્ષિણા લીધી.
માથા પર મોરનું પીંછું, શિવનું નામ, હાથમાં ખાસ આકારની ઘંટડી, કાનમાં બિંદી અને પાર્વતીજીના કાનની બુટ્ટી આ એક જંગમ સાધુની ઓળખ છે. જંગમ સાધુ આ વસ્તુઓથી પોતાને શણગારે છે અને તેમના દેવતાના ગુણગાન ગાય છે. તેમને અખાડાઓના ગાયક પણ કહેવામાં આવે છે.
જંગમ સાધુઓ ફક્ત સાધુઓ પાસેથી જ દાન સ્વીકારે છે. તેમની ભીખ માંગવાની એક ખાસ શૈલી છે. આ સાધુઓ સંતો પાસેથી મળેલા દાનની મદદથી પોતાનું પેટ ભરે છે.
મહાકુંભ દરમિયાન, જંગમ સાધુઓ અખાડાઓ અને છાવણીઓની સામે ઊભા રહે છે, તલ્લી (એક ખાસ પ્રકારનો ઘંટ) વગાડે છે અને દાનની આશા રાખીને અનોખા શિવ સ્તોત્રો ગાતા હોય છે. આ પરંપરાને આગળ વધારવાનો અધિકાર ફક્ત જંગમ સાધુના વંશજોને જ છે. જંગમ સાધુનો પુત્ર જ જંગમ સાધુ બની શકે છે.












Click it and Unblock the Notifications
