જાણો કેમ કહેવાય છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરને મોક્ષનું દ્વાર
જો તમે શિવભક્ત હશો તો તમે તે વાત તો સારી રીતે જાણતા હશો કે ભારતભરમાં ભગવાન શિવના 12 પ્રમુખ જ્યોતિલિંગ છે. પણ તે તમામ જ્યોતિલિંગમાં મહાકાલેશ્વર મંદિર ખાસ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ આ મંદિર વિષે માન્યતા છે કે જે વ્યક્તિ આ જ્યોતિલિંગના દર્શન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં તથા મહાકવિ કાલિદાસના મેધદૂતમાં ઉજ્જયની વિષે ચર્ચા કરતા આ મંદિરના વખાણ કરવામાં આવ્યા છે.
ધર્મગ્રંથો મુજબ આકાશમાં તારક લિંગ, પાતાળમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશ્વરની વિશેષ અન્ય કોઇ જ્યોતિલિંગ નથી. એટલા માટે જ મહાકાલેશ્વરના મંદિરને પૃથ્વીનું અધિપતિ માનવામાં આવે છે. ત્યારે ઉજ્જૈનના આ મંદિર વિષે કેટલીક ખાસ અને રોચક વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
દક્ષિણમુખી જ્યોતિલિંગ
શંકરજીનું આ અનોખું મંદિર અન્ય પ્રમુખ 12 જ્યોતિલિંગમાંથી એક માત્ર દક્ષિણમુખી જ્યોતિલિંગ છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાના સ્વામી સ્વયં ભગવાન યમરાજ છે. માટે જ જે વ્યક્તિ આ મંદિરના દર્શન કરી સાચા મને પ્રાર્થના કરે છે તેને મૃત્યુ ઉપરાંત યમરાજ દ્વારા અપાતી યાતનાથી મુક્તિ મળે છે.
અકાલ મૃત્યુ ટાળે છે શિવજી
દેશ અને દુનિયાના અનેક લોકો આ મંદિરના દર્શન કરવા માટે એટલા માટે અહીં આવે છે કારણ કે તે દ્વારા તે પોતાની અકાલ મૃત્યુ ટાળી શકે અને સીધો મોક્ષ મેળવી શકે.
તમામ ઇચ્છાઓ પૂરી
કહેવાય છે કે અહીં શિવજીના દર્શન કરનાર વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને ઘન, ધાન્યની પ્રાપ્તિ સાથે લોકોને અહીં લાંબુ અને નિરોગી સ્વાસ્થય પણ પ્રાપ્ત થાય છે.
પૃથ્વીનું કેન્દ્ર છે મહાકાલ
કેટલાક વિધવાનું માનવું છે કે મહાકાલેશ્વર જ્યોતિલિંગ મંદિર જ સંપૂર્ણ પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે. અને સંપૂર્ણ પૃથ્વીનું ભરણ પોષણ ભગવાન મહાકાલ અહીંથી કરે છે.
ભસ્માર્તી
અહીં પહેલા મહાકાલની ભસ્મ આરતીમાં તાજા લાશની ભસ્મનો ઉપયોગ થતો હતો. પણ મહાત્મા ગાંધીના આગ્રહ બાદ શાસ્ત્રીય વિધિથી નિર્મિત ભસ્મનો ઉપયોગ થાય છે.