હકિકતમાં બદલો લે છે નાગણી? જાણો શું છે હકિકત?

ભારતમાં નાગને લઈને હજારો દંતકથાઓ અસ્તિત્વમાં છે. કહેવાય છે કે નાગ તેમના દુશ્મનોને ક્યારેય ભુલતા નથી અને વર્ષો સુધી બદલો લેવા તૈયાર રહે છે.

ભારતમાં નાગણોને લઈને ઘણી માન્યતાઓ છે. નાગણ નાગના મોતનો બદલો કોઈપણ ભોગે લે છે તેવુ ઘણા લોકો માને છે. આજે આપણે એ જ જાણવાના છીએ કેે આ વાત કેટલી દંતકથા અને કેટલી હકીકત છે.

Snake

ભારતીય સંસ્કૃતિમાં સાપને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને નાગને સુંદર અને શક્તિશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ સાપને મારી નાખે તો નાગણીને તેનો બદલો ચુકવવો પડે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે સાપની યાદશક્તિ ખૂબ નબળી હોય છે અને તે મુખ્યત્વે તેમની ઇન્દ્રિયો પર આધાર રાખે છે. તે કોઈપણ વ્યક્તિને ઓળખી કે યાદ રાખી શકતા નથી.

આ સિવાય સાપ એકબીજા સાથે વાતચીત કરવા ફેરોમોન્સનો ઉપયોગ કરે છે. સાપને મારી નાખવામાં આવે ત્યારે તે ચોક્કસ પ્રકારના ફેરોમોન્સ છોડે છે. આ ફેરોમોન્સ અન્ય સાપને સંકેત આપે છે કે ભય છે.

સાયન્સનું માનીએ તો સાપમાં બદલો લેવાની કોઈ ભાવના હોતી નથી. તે ફક્ત પોતાનો બચાવ કરવા અથવા ખોરાકની શોધમાં હુમલો કરે છે. સાપ અને નાગ સાથે સંબંધિત ઘણી લોકકથાઓ અને ધાર્મિક માન્યતાઓ છે જે આ જીવોને અલૌકિક શક્તિઓ ધરાવનાર માને છે.

વિજ્ઞાન અનુસાર, નાગના બદલાની કહાની માત્ર એક પૌરાણિક કથા છે. સાપમાં બદલો લેવાની કોઈ વૃત્તિ હોતી નથી. તે માત્ર તેમની વૃત્તિ મુજબ કામ કરે છે.

હાલમાં જ હાપુડના સદરપુર ગામના લોકો આવી જ એક ઘટનાને નાગણીનો બદલો માની રહ્યા છે. અહીં સર્પદંશથી 3 લોકોના મોત થયા છે. સર્પદંશ થયેલા પાંચમાંથી ત્રણ લોકો એક જ પરિવારના હતા. માતા, પુત્ર અને પુત્રીને સાપ કરડતાં ત્રણેયના મોત થયા છે.

આ પછી સાપે વધુ બે લોકોને પોતાનો શિકાર બનાવ્યા. હાલ આ સાપને હવે વન વિભાગની ટીમે પકડી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે નાગણી નહોતી. જો કે સ્થાનિકો આ વાત માનવા તૈયાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X