Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pahalgam Terror Attack : ઈસ્લામમાં શું હોય છે કલમા? જેને પઢનારાઓને આતંકીઓએ જીવતા છોડ્યા

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં આતંકીઓએ 26 નિર્દોષ લોકોના જીવ લીધા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હવે સુરક્ષા દળોએ આતંકીઓને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી આ ગુનેગારોને ટૂંક સમયમાં સજા મળી શકે.

Pahalgam Terror Attack

પહેલગામના આ હુમલા બાદ સ્થાનિક લોકો અને પીડિતોએ જે વાતો શેર કરી છે તે ખૂબ જ ગંભીર છે. કેટલાક લોકોનું કહેવું છે કે આતંકીઓએ લોકોનું નામ અને ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી હતી.

જે લોકોએ પોતાને મુસ્લિમ હોવાનું જણાવ્યું તેમને આતંકીઓએ કલમા બોલવાનું કહ્યું. જેમણે કલમા આવડ્યો તેને આતંકીઓએ જીવતા રહેવા દીધા, જ્યારે અન્યોને ગોળી મારી દીધી. આ ઘટનાએ ઘણા લોકોના મનમાં એક સવાલ ઉભો કર્યો છે કે આ કલમા શું છે?

કલમા ઇસ્લામ ધર્મનો એક મહત્વનો ભાગ છે. તે એક પ્રકારની શપથ છે, જે ઇસ્લામ સ્વીકારતા પહેલા ફરજિયાતપણે બોલવામાં આવે છે. આ શપથમાં એવું કહેવામાં આવે છે કે અલ્લાહ સિવાય કોઈ બીજું ઇબાદતને લાયક નથી.

કલમા બે ભાગમાં વહેંચાયેલો છે અને મુસ્લિમ સમુદાયના લોકો સામાન્ય રીતે તેને કંઠસ્થ રાખે છે. આ શબ્દોનું ઉચ્ચારણ તે રોજિંદા જીવનમાં પણ કરે છે, જે તેમની આસ્થા અને ધર્મની નિષ્ઠાનું પ્રતીક છે.

આ ઘટના બાદ સેના અને પોલીસે આતંકીઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. માનવામાં આવે છે કે આ હુમલાને અંજામ આપનાર આતંકીઓને ટૂંક સમયમાં કાયદાના કઠઘરામાં લાવવામાં આવશે. સુરક્ષા દળોનું ધ્યાન કાશ્મીરમાં છુપાયેલા આતંકીઓને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવા પર છે.

પહેલગામનો આ હુમલો માત્ર એક આતંકી ઘટના નથી, પરંતુ તે ધર્મના નામે થયેલી હિંસાનું ઉદાહરણ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X