પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખતા લોકો સાવધાન, થઈ શકે છે બાળકો થવામાં મોટી સમસ્યા
મોબાઈલ ફોનના સિગ્નલને લઈને પહેલા જ ઘણા અભ્યાસો થઈ રહ્યા છે. જીવસૃષ્ટિને ખતરનાક આડઅસર પહોચાડતા મોબાઈલ ફોનને લઈને વધુ એક રિસર્સમાં ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.
હાલમાં જ સામે આવેલા એક રિસર્સે બધાને ચૌકાવ્યા છે. આ રિસર્ચનું માનીએ તો તે પુરૂષોની ફર્ટિલીટી પર અસર કરી રહ્યો છે અને સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે.

સ્વિત્ઝરલેન્ડની એક યુનિવર્સિટીના સંશોધને નવી ચર્ચા છેડી છે. સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાનો અર્થ એ છે કે તમે સંતાન પ્રાપ્ત ન કરી શકો. તમારા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા એક ચોક્કસ સ્તર સુધી હોવી જોઈએ.
જો તે આ સ્તરથી નીચે હશે તો ગર્ભધારણ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડશે. જે સંશોધન બહાર આવ્યું છે તે દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં લોકોના શુક્રાણુઓની સંખ્યા સતત ઘટી રહી છે. આનો મોબાઈલ ફોન સાથે સંબંધ છે.
સ્વિત્ઝર્લેન્ડની એક યુનિવર્સિટીના સંશોધન અનુસાર, મોબાઈલ રેડિયેશન શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાનું કારણ હોઈ શકે છે. સંશોધકોને અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સંખ્યા ઓછી જોવા મળી છે.
આ જ કારણ છે કે સંશોધકોને શંકા છે કે મોબાઈલ ફોન તેનું કારણ હોઈ શકે છે. રિસર્ચમાં કહેવાયુ છે કે ખિસ્સામાં મોબાઈલ ફોન રાખવો આનું એક કારણ હોઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ અંગે વધુ સંશોધન થઈ રહ્યા છે.
રિસર્ચ અનુસાર, જે લોકો ફોનને બેકપેકમાં રાખે છે તેમાં આ સમસ્યા ઓછી હતી. જે લોકો સતત ઘણા કલાકો સુધી ફોન તેમના ખિસ્સામાં રાખે છે તેમને સ્પર્મ કાઉન્ટની સમસ્યા વધુ થઈ શકે છે.
હાલમાં આ અભ્યાસે એક નવી ચર્ચા શરૂ કરી છે, હવે વૈજ્ઞાનિકો નક્કર પુરાવા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું મોબાઈલ ફોન ખરેખર શુક્રાણુઓની સંખ્યાને અસર કરે છે કે કેમ?
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
