જાણો ક્યારે સરહદોની રક્ષા માટે ગંભીર થયા નહેરુ
(વિવેક શુક્લા): પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરુની જયંતિના અવસર પર અમે તે બધા બિંદુઓને વિસ્તારથી રજૂ કરી રહ્યાં છીએ, જેના લીધે ચીને વચનભંગ કર્યું હતું. અમે તમને જણાવીશું કે ત્યારે એવું શું થયું કે પંડિત જવાહર લાલ નહેરુ બોર્ડર સિક્યોરિટીને લઇને ગંભીર થઇ ગયા હતા. આ તે સમય હતો જ્યારે ચીને ભારત પર હુમલો કર્યો હતો.
સંસદમાં જવાહર લાલ નહેરુ બોલી રહ્યાં હતા કે પહેલી વાર તેમણે ટોકતાં કરનાલના સાંસદ સ્વામી રામેશ્વરનંદે કહ્યું કે 'ચાલો હવે તો તમને ચીનનો અસલી ચહેરો દેખાવવા લાગ્યો.' તે એક પ્રકારે મેણાં મારી રહ્યાં હતા કારણ કે તે ચીન પર ખૂબ વિશ્વાસ કરતાં હતા. ચીની નેતાઓ પાસે પોતાના સંબંધોની રોતડાં રોતા હતા. સ્વામી રામેશ્વરનંદની ટિપ્પણીથી થોડા નારાજ થતાં જવાહર લાલ નહેરુએ કહ્યું ''જો માનનીય સભ્ય ઇચ્છે તો તેમણે સરહદ પર મોકલી શકાય છે. સંસદને જવાહર લાલ નહેરુજીની આ સમજાઇ નહી.''

પંડિત જવાહર લાલ નહેરુ પ્રસ્તાવ પર બોલતાં જ જતાં હતા. ત્યારે વરિષ્ઠ સભ્ય એચવી કામથે થોડ વ્યંગભર્યા અંદાજમાં કહ્યું 'તમે બોલતાં રહો. અમે વચમાં વિધ્ન નાખીશું નહી.' હવે જવાહર લાલ નહેરુ વિસ્તારપૂર્વક જણાવવા લાગ્યા કે ચીને ભારત પર હુમલો કરતાં પહેલાં કેટલી તૈયારી કરી હતી. આ દરમિયાન સ્વામી રામેશ્વરાનંદે ફરી તેજ અવાઝમાં કહ્યું ' હું એ જાણવા માટે ઉત્સુક છું કે જ્યારે ચીન તૈયારી કરી રહ્યું હતું, ત્યારે તમે શું કરી રહ્યાં હતા.' હવે જવાહર લાલ નહેરુજી પિત્તો ગુમાવતાં હિન્દીમાં કહેવા લાગ્યા કે મને લાગે છે કે સ્વામીજીને કંઇ સમજાતું નથી. મને અફસોસ છે કે સંસદમાં આટલા બધા સભ્યોને રક્ષા મુદ્દાઓ અંગે પુરતી સમજણ નથી.''
અક્સઇચિનથી ચીનને ખદેડવાની વકિલાત
ચર્ચામાં 165 સભ્યોએ ભાગ લીધો. બધાએ ચીનને અક્સઇચિનથી ખદેડવાની વકિલાત કરી. ચર્ચા એકદમ ભાવુક બની. સંસદે પ્રસ્તાવને 14 નવેમ્બરના રોજ મંજૂરી કરી દિધો. હવે જવાહર લાલ નહેરુએ 22 ડિસેમ્બર, 1962ના રોજ બધા મુખ્યમંત્રીઓને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે એક પ્રકારે કહ્યું કે ચીનનો ભારત પર હુમલો અમારા માટે ખરાબમાં સારો સાબિત થશે. હવે અમે આપણી સરહદોની રક્ષા કરવા માટે વધુ ગંભીર થઇશું. જો કે જવાહર લાલ નહેરુના આ તર્કને ના તો ત્યારે કોઇએ સાચો માન્યો, ના તો કોઇ હવે માનશે.
જો કે આટલા લાંબો સમય પસાર થયા બાદ પણ ચીને આપણા અક્સઇચિન પર પોતાનો કબજો જમાવેલો છે. શું તમને ખબર છે કે ચીન દ્વારા કબજો કરી લેવામાં આવેલા વિસ્તારોનું ક્ષેત્રફળ કેટલું છે? આ 37,244 વર્ગ કિલોમીટર છે. પ્રશ્ન ઉદભવે છે કે શું આપણા નેતા ચીનના શિખર નેતાઓ સાથે મુલાકાતના સમયે અક્સચિનનો મુદ્દો ઉઠાવે છે? શું ક્યારે કોઇ ભારતીય રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનમંત્રીએ પોતાના ચીની સમકક્ષ સાથે પૂછ્યું કે તેમનો દેશ અક્સચિનને ક્યારે ખાલી કરશે.?
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
