Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખજુરાહોના મંદિરોમાં કામુક મુર્તિઓ કોણે અને ક્યારે બનાવી? આ માન્યતાઓમાં છે તેનો જવાબ

ભારતીય મંદિરોની ભવ્યતાને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવ છે. આ મંદિરોમાં ખજુરાહોનું કલાત્મક મંદિર પ્રવાસીઓનું વિશેષ ધ્યાન ખેંચે છે.

ખજુરાહો તેની કલાત્મક કામુક મુર્તીઓ માટે જાણીતું છે. આ મંદિરોમાં બનાવાયેલી કલાત્મક મુર્તિઓ વિશે આજે પણ ઘણા રહસ્યો છે.

Khajuraho Sculpture

મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે અને તે તેના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. અહીંનું ખજુરાહો મંદિર વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. તેની વિશ્વ પ્રસિદ્ધિનું કારણ મંદિરની બહાર લાગેલા કામુક શિલ્પો છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત ખજુરાહો મંદિરો બહાર બનેલા આ શિલ્પોને કામ સાહિત્ય નામ આપવામાં આવ્યું છે. તે મુર્તિઓ દુનિયાભરના પુરાતત્વવિદો માટે મોટુ રહસ્ય છે.
ખજુરાહો મંદિરોનું નિર્માણ 950 એડી અને 1050 એડી વચ્ચે થયું હોવાની માન્યતા છે. આ મંદિરોમાં મૂર્તિઓ એટલી સારી રીતે બનાવવામાં આવી છે કે તેને જોઈને કોઈને પણ ખરાબ વિચાર ન આવે. તેની ભવ્યતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે.

આ શિલ્પો પ્રાચીન સંસ્કૃતિની વિશેષતાઓ વર્ણવી રહ્યા છે ત્યારે ઘણી વખત મનમાં આ સવાલ ઉઠે છે કે મંદિરની બહાર આવી મૂર્તિઓ બનાવવા પાછળનું રહસ્ય શું હોઈ શકે? આની પાછળ કેટલીક માન્યતાઓ છે.

કહેવાય છે કે ચંદેલ રાજાઓના સમયમાં આ વિસ્તારમાં તાંત્રિક સમુદાયની ડાબેરી શાખાનું વર્ચસ્વ હતું. આ લોકો યોગ અને આનંદ બંનેને મોક્ષનું સાધન માનતા. આ શિલ્પો તેમની પ્રવૃત્તિઓનું પરિણામ છે.

શાસ્ત્રો કહે છે કે જાતીય સંભોગ પણ મોક્ષ પ્રાપ્તિનું સાધન બની શકે છે, પરંતુ આ વાત ફક્ત તે જ લોકોને લાગુ પડે છે જેઓ સાચા અર્થમાં મુમુક્ષુ છે.

આ મૂર્તિઓ વિશે એક ખૂબ જ પ્રચલિત દંતકથા છે. કહેવાય છે કે એક વખત રાજપુરોહિત હેમરાજની પુત્રી હેમવતી સાંજે તળાવમાં સ્નાન કરવા આવી હતી. તે દરમિયાન આકાશમાં વિહરતા ચંદ્રદેવે હેમવતીને સ્નાન કરતા જોયા તો તેમનું મન વ્યાકુળ થવા લાગ્યું. તે જ ક્ષણે તે સુંદર હેમવતી સમક્ષ હાજર થયો અને પ્રેમનો એકરાર કર્યો.

કહેવાય છે કે તેમનાથી જન્મેલા પુત્રએ ચંદેલ વંશની સ્થાપના કરી. સમાજના ડરને કારણે હેમવતીએ પોતાના પુત્રને કર્ણાવતી નદીના કિનારે ઉછેર્યો અને તેનું નામ ચંદ્રવર્મન રાખ્યું હતું.

ચંદ્રવર્મન મોટો થયો અને પ્રભાવશાળી રાજા બન્યો. એકવાર તેમની માતા હેમવતીએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમને આવા મંદિરો બનાવવા કહ્યું, જેથી સમાજ સમજી શકે કે યૌન ઈચ્છા પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જે વ્યક્તિ આ ઈચ્છા પૂરી કરે તેણે ક્યારેય પોતાને દોષિત ન ગણવા.

ચંદ્રવર્મને તેની માતાની આજ્ઞા પાળી અને આવા મંદિર બનાવવા માટે ખજુરાહોની પસંદગી કરી. તેને પોતાની રાજધાની બનાવ્યા પછી તેણે અહીં 85 વેદીઓનો વિશાળ યજ્ઞ કર્યો. બાદમાં આ વેદીઓનાં સ્થાને 85 મંદિરો બનાવવામાં આવ્યાં. પરંતુ આજે અહીં 85માંથી માત્ર 22 મંદિરો જ બચ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X