કોણ ચલાવે છે POK માં સરકાર? જાણો કેમ પાકિસ્તાની સત્તા ત્યાં નથી લાગુ પડતી?
જમ્મુ-કાશ્મીરના પેહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. બંને દેશોની સૈન્ય દળો એલર્ટ પર છે અને સરહદ પર સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારતમાં હાલ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે અને ઘણા લોકો POK ને પાછો મેળવવા માટે માંગ કરી રહ્યાં છે.

લાંબા સમયથી ભારતમાં માંગ ઉઠતી રહી છે કે પીઓકે ફરીથી ભારતનો ભાગ બનવુ જોઈએ. હાલની પરિસ્થિતિમાં લોકો માને છે કે હવે સમય આવી ગયો છે કે પીઓકેને પાછું મેળવવામાં આવે.
પરંતુ જાણીને તમને આશ્ચર્ય થશે કે પાકિસ્તાન જે પીઓકે પર કબજો જમાવેલો છે તે ક્ષેત્ર ટેકનિકલી તેનો અધિકૃત હિસ્સો નથી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીથી લઈ ત્યાંની કેન્દ્ર સરકાર સુધીને પીઓકેમાં સીધી દખલદારી નથી.
ભારતથી અલગ થયા પછી 1947માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેણે કાશ્મીરના એક મોટા ભાગ પર કબજો કર્યો, જેને આજે પીઓકે તરીકે ઓળખવામાં આવે છે. ત્યારેથી પાકિસ્તાન તેને પોતાનો ભાગ કહે છે, જ્યારે ભારતે ક્યારેય તેને માન્યતા આપી નથી.
પાકિસ્તાનના બંધારણમાં પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા રાજ્યનો ઉલ્લેખ છે, પણ પીઓકેનો કોઈ ઉલ્લેખ નથી. આ તો એવું છે કે પાકિસ્તાનના બંધારણમાં જ પીઓકેને અલગ રાજ્ય તરીકે દર્શાવાયું નથી. સાથે જ પાકિસ્તાનની સંસદમાં પણ પીઓકેના લોકોનું પ્રતિનિધિત્વ નથી.
પાક અધિકૃત કશ્મીરનું કુલ ક્ષેત્રફળ લગભગ 13,000 ચોરસ કિલોમીટર જેટલું છે અને અહીં લગભગ 40 લાખ લોકો વસે છે. પાકિસ્તાને આ પ્રદેશને પોતાનું કહેવા છતાં અહીંનું રાજકીય અને ન્યાયિક તંત્ર સંપૂર્ણપણે અલગ છે.
પીઓકેમાં અલગ રીતે ચૂંટાયેલી વિધાનસભા છે, પોતાનું શાસનવ્યવસ્થાનું માળખું છે અને પોતાનું પોલીસ દળ પણ છે. અહીંના ન્યાય તંત્ર માટે અલગ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જેવી વ્યવસ્થાઓ પણ છે. હાલમાં પીઓકેના વડાપ્રધાન તરીકે ચૌધરી અનવર-ઉલ-હક કાર્યરત છે.
પાકિસ્તાન તરફથી પીઓકેને સ્વાયત્તત્વ આપવાનો દાવો થાય છે પણ વિશ્લેષકો અને સ્થાનિક વતનોના જણાવ્યા મુજબ અહીંના નેતાઓ કોણ બનશે અને ચૂંટણીઓમાં કોણ લડી શકશે તે પાકિસ્તાની સૈનિક અને રાજકીય તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં પાકિસ્તાનની મંજૂરી વગર રાજકીય લોકો ટકી શકતા નથી.
ભારત હંમેશાથી પીઓકેને પોતાનો અવિભાજ્ય હિસ્સો માનતો રહ્યો છે. સંવિધાનમાં પણ કાશ્મીર સહિત સમગ્ર પ્રદેશને ભારતનો ભાગ ગણવામાં આવ્યો છે. પીઓકે પર પાકિસ્તાનનો કબજો અવૈધ છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા











Click it and Unblock the Notifications
