આ કારણે ભારતમાં થાય છે સૌથી વધુ ટ્રેન અકસ્માત, વર્ષે આટલા લોકો ગુમાવે છે જીવ
નરેન્દ્ર મોદી સરકાર ટ્રેન અકસ્માત ઘટાડવાના દાવા કરી રહ્યાં છે પરંતુ હજુ પણ ભારતમાં ટ્રેન અકસ્માત ઓછા થયા નથી. આ અકસ્માતોમાં લાખો લોકો તેના જીવ ગુમાવે છે.
ઉત્તર પ્રદેશના ગોંડામાં ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના પીકૌરા ગામ નજીક ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બા પલટી જતા ફરીથી ટ્રેન અકસ્માતની ચર્ચા શરૂ થઈ છે.

રેલ્વેના યર બુક અનુસાર, મોટાભાગના રેલ્વે અકસ્માતો ટ્રેનના પાટા પરથી ઉતરી જવાને કારણે થાય છે. 2015-16 અને 2021-22 વચ્ચે 449 ટ્રેન અકસ્માતો થયા. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી 322 પાટા પરથી ઉતરવાને કારણે થયા હતા. આવો જ એક અકસ્માત ચંદીગઢ-ડિબ્રુગઢમાં જોવા મળ્યો હતો, જ્યાં ત્રણ કોચ પલટી ગયા હતા.
ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળ માત્ર એક જ નહિ પરંતુ અનેક કારણો છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું મુખ્ય કારણ રેલ્વે ટ્રેક પરની યાંત્રિક ખામી એટલે કે રેલ્વે ટ્રેક પર લગાવવામાં આવેલ સાધનોમાં ભંગાણ માનવામાં આવે છે.
આ ઉપરાંત પાટા પર તિરાડો પડી જવાથી આ અકસ્માતો થાય છે. ટ્રેનના કોચને પકડી રાખતા સાધનોનું ઢીલું પડવું પણ આનું મુખ્ય કારણ હોઈ શકે છે.
આ સિવાય જે એક્સલ પર ટ્રેનની બોગી રાખવામાં આવી હોય છે તે એક્સલ તૂટવું પણ ટ્રેનના પાટા પરથી ઉતરવાનું કારણ હોઈ શકે છે. સતત દોડવાને કારણે ટ્રેનના પાટા પર પૈડાં ઘસાઈ જવા પણ ટ્રેનના પાટા પરથી ઉતરવાનું કારણ બની શકે છે.
આ સિવાય ઉનાળાની ઋતુમાં ટ્રેકની રચનામાં ઘણી વખત ફેરફાર જોવા મળે છે. આ સિવાય ઝડપથી ચાલતી ટ્રેનને વધુ ઝડપે ફેરવવાથી અથવા બ્રેક લગાવવાથી પણ ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. આ અકસ્માતોને રોકવા રેલ્વે સતત પાટા પર સમારકામનું કામ કરે છે, જેથી સમસ્યાને તરત જ સુધારી શકાય.












Click it and Unblock the Notifications
