12 દિવસ સુધી આ મહિલાએ ખાલી કેળા ખાધા, જુઓ પછી શું થયું!
આપણે બધા જ જાણીએ છીએ કે કેળા ખાવા કેટલા લાભકારી છે. તેનાથી પાચન ક્રિયા સારી થાય છે અને કબજિયાતથી પણ નિજાત મળે છે. ઉચ્ચ પોષક તત્વોથી ભરપૂર અને સસ્તીદરે અને સરળતાથી ઉપલબ્ધ તેવા આ કેળા નાના મોટા બધાને ભાવે છે. વળી ઔષધ વિજ્ઞાનમાં પણ કેળાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. અને મેડિકલ સાયન્સ પણ કેળાને ગુણકારી ફળ માને છે.
જો તમે આખો દિવસ કંઇ જ ના ખાવ અને ખાલી કેળા જ ખાવ તો તમારું વજન ઘટી શકે છે. અને જો તમે રોજના 8-10 કેળા અને ભોજન ખાવ તો તમારું વજન વધી પણ શકે છે. ત્યારે પોતાનું વજન ધટાડવામાં ન્યૂટ્રિશનિસ્ટ યુલિયા તરબત પણ કંઇક આવું જ કર્યું.
તેમણે સતત બાર દિવસ સુધી ખાલી કેળા જ ખાધા. તેમણે કેળા ખાવાથી શું સ્વાસ્થય લાભો થઇ શકે છે તેના પરિક્ષણ માટે મોનો-ફ્રૂટ આ ડાયટ શરૂ કરી હતી. જેમાં તેમણે દિવસ ભર ખાલી કેળા જ ખાવાના હતા. ત્યારે બાર દિવસ પછી યુલિયાએ તેના વજનમાં કેવો ફેરફાર જોયો. તેનાથી તેને કેવા કેવા લાભ થયા અને તમારે પણ આવી કોઇ ડાયેડ કરવી જોઇએ કે નહીં તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કેવી રીતે થાય છે આ ડાયટ
આ રીતની ડાયટ માટે તમારે દરેક પ્રકારના કેળા ખાઇ શકો છો. કેટલાક લોકો આખો દિવસ કેળા ખાધા પછી સાંજે કોઇ અન્ય શાક ભોજનમાં લે છે. તે સાથે તમારે દિવસમાં 3 લીટર પાણી પીવાનું રહે છે. અને સામાન્ય વ્યાયામ પણ. વળી આરામ પણ જરૂરી છે.

કેળા અને સ્વાસ્થય
રિસર્ચ મુજબ કેળાને વેટ લોસ ડાયટમાં સામેલ કરી શકાય છે. એક 6 ઇંચના કેળામાં લગભગ 90 કેલેરી હોય છે. જે કોઇ પણ ચોકલેટની સામે ખૂબ જ ઓછી છે. વળી આ ફળમાં ધુલનશીલ ફાઇબર પણ હોય છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

કેળાની ડાયટથી યુલિયાને શું ફાયદા થયા
આ ડાયટ અપનાવ્યા પછી યુલિયાની પાચન શક્તિ વધી. તેનો પેટનો દુખાવો ગાયબ થયો. વળી તેના કહેવા મુજબ તેની મગજ પહેલા કરતા વધુ રિલેક્સ રહેવા લાગ્યું અને તે પોતાના કામમાં પૂરી રીતે ધ્યાન આપી શકી. વળી તેના ચહેરા પર પણ ચમક આવી. અને તે શરીરથી સંતુલિત અને મનથી સકારાત્મક થઇ.

યુલિયાને મળી રોગોથી મુક્તિ
યુલિયાએ જણાવ્યું કે આ ડાયેટ કર્યા પહેલા તેને હાઇ બ્લડ સુગર, હોર્મોન અસંતુલન અને કેંડિડાની બિમારી હતી. જો કે શરીરમાંથી તમામ વિષેલા પદાર્થો બહાર નીકળી જવાથી તેને હવે આ બિમારીઓથી ઠીક થઇ છે.

શું તમે પણ આ ડાયેટ અપનાવી શકો?
જો તમે આ ડાયેટ અપનાવા ઇચ્છતા હોવ તો પહેલા તમારે તમારો ડોક્ટર જોડે આ અંગે વિચાર વિમર્શ કરવો જોઇએ. કારણ કે આ ડાયેટ દરેક લોકોને શૂટ થાય તેવું જરૂરી નથી. વળી આ ડાયેટ ખાસ કરીને થાઇરોઇડના બિમારીથી પીડત લોકોએ ના કરવી જોઇએ.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
