Cardamom Water : એલચીનું પાણી ઘટાડી શકે છે તમારું વજન, જાણી લો આ ખાસ રીત
Cardamom Water : આપણેને ઘણીવાર સાંભળવા માળે છે કે, ખુબ પાણી પીવું જોઇએ. ઉનાળામાં તો પાણી પીવું અતિ આવશ્યક બની જાય છે. પાણી પીવાથી શરીરની ચયાપચયને સ્વસ્થ રાખે છે. આ સાથે વધારાનો વજન ઘટાડવામાં પણ મદદ મળશે છે. આવામાં પાણીમાં ઘણી વસ્તુ તમે એડ કરી શકો છો.
તમે પાણીમાં એલચી નાંખીને પી શકો છો. એલચીના પાણી પીવાથી ઘણા આરોગ્યપ્રદ લાભ મળે છે. ઘણા લોકો જાણતા નથી કે, એલચી જેવો સામાન્ય રસોડાનો ઘટક વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
એલચીનું પાણી કેવી રીતે બનાવશો? - 5 થી 6 એલચીને છોલીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગરમ કરો. આ પાણીને દિવસમાં 3 થી 4 વખત પીવાથી તમાને વજન ઘટાડવામાં મદદ મળશે. તમે એક દિવસમાં લગભગ 1 લીટર ગરમ એલચી પાણી પી શકો છો. જો તમે 14 દિવસ સુધી આ નિયમિત રીતે કરશો, તો તમને પરિણામ દેખાવા લાગશે.
એલચીનું પાણી કેમ? - દરરોજ એલચીનું પાણી પીવાથી તૃષ્ણાને ઓછી કરવામાં મદદ મળે છે. આ અતિશય આહાર (ખાસ કરીને બિનઆરોગ્યપ્રદ) અટકાવવામાં મદદ કરે છે. એલચીનું પાણી પીવાથી ત્વચાને પણ ઘણો ફાયદો થાય છે, તેનાથી ત્વચામાં સુધારો થાય છે.
એલચી પાણી પીવાના ફાયદા
- એલચીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. શરીરમાં હાજર ચરબી બર્ન કરવા ઉપરાંત, એલચીના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
- એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
- એક રિપોર્ટ અનુસાર, એલચીમાં એવા સંયોજનો હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
- એલચીનું સેવન તમને પાચન સંબંધી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
- એલચી શ્વાસની દુર્ગંધની સારવારમાં મદદ કરે છે. તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે અને પોલાણને રોકવામાં પણ મદદ કરે છે.
- એલચી હાઈ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ છે.