Cumin Side Effects : સ્વાસ્થ્ય માટે છે હાનિકારક જીરાનો વધુ પડતો ઉપયોગ
જીરાનો ઉપયોગ છાશ, કઢી, દાળ, કચુંબર સહિત ઘણાં વિવિધ પ્રકારના ખોરાકમાં થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
Cumin Side Effects : નવરાત્રિ દરમિયાન લોકો ઘરમાં લસણ-ડુંગળીનું સેવન સંપૂર્ણપણે બંધ કરે છે. આ વસ્તુઓને બદલે જીરાનો ટેમ્પરિંગ ખોરાકમાં વધારવામાં આવો છે. જીરાનો ઉપયોગ છાશ, કઢી, દાળ, કચુંબર સહિત ઘણાં વિવિધ પ્રકારના ખોરાકમાં થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે, વધુ પડતું જીરું ખાવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
છાતીમાં બળતરા - જીરું પેટના ગેસને દૂર કરવામાં ખૂબ અસરકારક છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, તે હાર્ટબર્ન( છાતીમાં બળતરા) ને ટ્રિગર કરી શકે છે, જે એક ખૂબ જ સામાન્ય પાચન સમસ્યા છે. ખરેખર જીરું જઠરાંત્રિય માર્ગમાંથી ગેસ દૂર કરવા માટે ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તેના કારણે લોકોને હાર્ટબર્નની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ભયાનક બળતરાનો સામનો કરવો પડે છે.
લીવર ડેમેજ - જીરામાં હાજર તેલ અત્યંત અસ્થિર હોય છે અને તેથી જ તેનો વધુ પડતો વપરાશ કિડની અથવા લીવરને નુકસાન થવાનું જોખમ વધારે છે. જીરાના સતત વધુ પડતા વપરાશ સાથે જ આ શક્યતાઓ વધી જાય છે. તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે, જીરાનો ઉપયોગ હંમેશા યોગ્ય માત્રામાં કરવો જોઈએ.
નાર્કોટિક અસર - જીરું તેની નાર્કોટિક પ્રોપર્ટી માટે પણ જાણીતું છે, તેથી તેનો ઉપયોગ ખૂબ સાવધાની સાથે કરવો જોઈએ. જીરાની આડઅસરોમાં મેન્ટલ ક્લાઉડિંગ, નિદ્રા અથવા ઉબકા જેવી વસ્તુઓ પણ શામેલ છે. જીરાના વધુ પડતા વપરાશને કારણે આ બધી સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.
લો બ્લડ શુગર - વધુ પડતું જીરું ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ અચાનક ઘટી શકે છે. જો તમે લોહીમાં શર્કરાના સ્તરને જાળવવા માટે ઘણા પ્રયત્નો કરો તો જીરાનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. જો તમારૂ ઓપરેશન કરાવવા જઇ રહ્યા છો, તો પણ તમારે તેની કાળજી લેવી જરૂરી છે. બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે સર્જરી પહેલા લગભગ બે અઠવાડિયા સુધી જીરું ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
ગર્ભાવસ્થા અથવા સ્તનપાન - સૂચવવા માટે પૂરતા પુરાવા નથી કે, જીરાનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન અથવા સ્તનપાન દરમિયાન દવા તરીકે થઈ શકે છે. આમ કરવાથી કેટલાક ખરાબ પરિણામો આવી શકે છે. તેથી ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ ઘરેલું ઉપાય ન કરો.