જમ્યા બાદ તરત ઠંડુ પાણી ન પીવો, નહીં તો આ ખરતનાક બિમારી માટે રહો તૈયાર
તમે જાણતા જ હશો કે, ભોજનની વચ્ચે ક્યારેય પાણી ન પીવું જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવું તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.
તમે જાણતા જ હશો કે, ભોજનની વચ્ચે ક્યારેય પાણી ન પીવું જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવું તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. હા, ખોરાક લીધા બાદ તરત જ ઠંડુ પાણી પીવાથી તમારી પાચન શક્તિમાં સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, તમારા પિત્તાશયને પણ નુકસાન થઈ શકે છે.
આપણા શરીરનું તાપમાન 37 °C છે, જેના માટે 20-22 °C તાપમાનનું પાણી યોગ્ય છે. આના કરતા વધુ ઠંડુ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ ખોરાક ખાધા બાદ ઠંડુ પાણી પીવાના શું નુકસાન થાય છે.
હદય રોગનો હુમલો
જમ્યા બાદ ઠંડા પાણીની આદત તમને હૃદયના જોખમમાં મૂકે છે. એક રિસર્ચ અનુસાર, રોજનું ફૂડ ખાધા બાદ તમારું હાર્ટ કમજોર થઈ શકેછે અને તમને એટેક પણ આવી શકે છે. ચીન અને જાપાનમાં લોકો ખાધા બાદ ઠંડા પાણીને બદલે સૂપ અથવા ગરમ ચા પીવે છે. આકારણથી ત્યાંના લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા નહીંવત છે.
કબજિયાત
ઠંડુ પાણી પીવાથી તમને કબજિયાત થઈ શકે છે. પેટમાં ઠંડુ પાણી તમારા મળને સખત બનાવે છે અને પછી તમને શૌચ દરમિયાન સમસ્યાથઈ શકે છે.
ઠંડુ પાણી પીવાથી તમારું મોટું આંતરડું પણ સંકોચાય છે. જેમને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે, તેમણે ઠંડા પાણીનીઅવગણના કરવી જોઈએ.
લાળ
ઠંડુ પાણી શરીરમાં લાળ બનાવે છે અને સાથે જ તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. તેથી, ઠંડુ પાણી પીવાથી તમને શરદીથવાનું જોખમ રહે છે.
સ્થૂળતા (મેદસ્વીતા)
ઠંડુ પાણી સ્થૂળતા વધારે છે. ખાદ્યપદાર્થો સાથે મિશ્રિત ઠંડુ પાણી પેટમાં રહેલા એસિડ સાથે ભળે છે, જે ચરબીમાં ફેરવાય છે. સ્થૂળતા ઘણાગંભીર રોગો તરફ દોરી શકે છે.