Health Tips: એપેંડિક્સનો ઇલાજ કરો ઘરેલું ઉપચારથી
નોંધ:
આ
બીમારીના
નિદાન
અને
ઉપચાર
માટે
પહેલા
ડોક્ટરની
સલાહ
ચોક્કસ
લેવી
{લાઇફસ્ટાઇલ}
એપેંડિક્સ
એ
આતરાડાને
લગતી
બીમારી
હોય
છે.
જેમાં
સંક્રમણને
એપેડિટાસાઇટિસ
કહેવામાં
આવે
છે,
આ
પેટનો
દુ:ખાવો
જન્માવનાર
એક
સામાન્ય
કારણ
છે.
એપેડિંક્સ
10થી
30
વર્ષની
ઉંમરના
લોકોમાં
સામાન્ય
રીતે
થાય
છે.
આ
મહિલાઓના
મુકાબલે
પુરુષોમાં
વધારે
જોવા
મળે
છે.
રોગીને જો એપેંડિક્સ છે તો, તેને પેટની ડાબી બાજુએ નીચેની તરફ દુ:ખાવો, ભૂખ ઓછી લાગવી, ઉલટી-ઉપકા, ડાયેરીયા, કબજીયાત, ગેસનો ભરાવો, પેટમાં સોજો અને હળવો તાવ રહી શકે છે.
જ્યારે આ અવરોધ થોડા દિવસો સુધી સતત બની રહે છે તો અંતે સંક્રમણ થઇને વધેલું આતરડુ ફાટવાની પણ શક્યતા રહે છે, આ સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે જેમાં વ્યક્તિનું મોત પણ થઇ શકે છે. એપેંડિક્સનો યોગ્ય સમયે ઇલાજ ખૂબ જ જરૂરી છે. તેના કેટલાંક સામાન્ય લક્ષણોને ઠીક કરવા માટે કેટલાંક ઘરેલુ ઉપચારો પણ અજમાવી શકાય છે.
લસણ
રોજ ખાલી પેટ 2થી 3 કાચા લસણનું સેવન કરો. આપ જમવાનું બનાવતી વખતે પણ લસણનો ઉપયોગ કરી શકો છો. બીજો ઉપાય એ છે કે આપ ડોક્ટરની સલાહથી ગાર્લિક કેપ્સૂલ પણ લઇ શકો છો.
આદુ
આદુ દર્દ અને સોઝાને ઓછો કરવા માટે સહાયકરૂપ છે. રોજ આદુવાળી ચા બેથી ત્રણવાર પીવો. આદુવાળી ચા બનાવવા માટે 1 કપ ઉકળતા પાણીમાં નાની ચમચી ઘસીને આદુ નાખીને 10 મિનિટ ઉકાળો. બીજો ઉપાય એ છે કે આપના પેઢુને આદુના રસથી માલિસ કરો.
મેથી દાણા
1 કપ પાણીમાં 2 નાની ચમચી મેથી નાખીને પાણીને ઉકાળો. ત્યારબાદ આ પાણીને દિવસમાં એક વાર પીવો. ખાવામાં પણ મેથી દાણાનો ઉપયોગ કરો. તેનાથી દુ:ખાવો અને સૂઝન ઓછો થાય છે.
લીંબૂ
લીંબૂ દુ:ખાવો, અપચો અને કબજીયાતથી રાહત અપાવે છે. આ વિટામિન સી થી ભરપુર હોય છે. એટલે તે ઇમ્યૂનિટી પણ વધારે છે. તેનું સેવન કરવા માટે એક લીંબૂ નિચોવીને તેમાં કાચૂ મથ મીલાવો. આ મિશ્રણને દિવસમાં ઘણી વખત લો. આવું ઘણા અઠવાડીયા સુધી કરો.
તુલસી
જો એપેંડિક્સ રોગીને હળવો તાવ પણ આવતો હોય તો તુલસી તેને ઓછો કરી શકે છે. સાથે જ તે અપચો અને ગેસને ઓછો કરે છે. તાવ દુર કરવા માટે 1 મુઠ્ઠી તુલસી, એક ચમચી આદુ અને 1 કપ પાણીને અડધુ થવા સુધી ધીમા તાપે ઉકાળો. આને દિવસમાં બે વાર પીવાનું રાખો.
પુદીના
આ અંદરની ગેસ, મલતી અને ચક્કર જેવા લક્ષણોને દૂર કરે છે. આ એપેંડિક્સના દર્દને પણ ઠીક કરે છે. તેનું સેવન કરવા માટે પુદીનાની ચા તૈયાર કરો. એક ચમચી તાજી પુદીનાની પત્તીઓને ગરમ પાણીમાં ઉકાળો. તેની અંદર મધ નાખીને તેને રોજ પીવાનું રાખો.
ફાઇબર યુક્ત આહાર
આહારમાં ઓછું ફાઇબર એપેંડિક્સને દાવત આપી શકે છે. એટલા માટે આપને હાઇ ફાઇબરવાળા આહાર જેમકે, બીંસ, ખીરા, ટામેટા, બીટ, ગાજર, વટાણા વગરેનો સમાવેશ થાય છે.
તરલ પદાર્થ
ઘણા બધું દ્રવ્ય પદાર્થ પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે, જેનાથી એપેંડિક્સ પણ જલદી ઠીક થઇ જાય છે. તેનાથી શરીરની ગંદકી પણ દૂર થાય છે. આપ પાણી ઉપરાંત ફ્રુટ જ્યુસને પણ ખાંડ વગર પી શકો છો. કડક પદાર્થ આહારમાં લેવાનું ઓછો કરી દેવો. અને કેફી પદાર્થોનું સેવન બંધ કરી દેવું.
દૂધ
દૂધને એક વાર ઉકાળીને તેને ઠંડુ કરીને પીવાથી લાભ થાય છે.
ટામેટું
લાલ ટામેટાની ચીરી કરીને તેમાં મીઠું અને આદુ નાખીને ભોજન કરતા પહેલા ખાવાથી ફાયદો થાય છે.
રાઇ
પેટના નીચલા ભાગમાં ડાભી બાજુ રાઇ વાટીને લેપ કરવાથી દુ:ખાવો દૂર થાય છે. પરંતુ એક કલાક કરતા વધારે સમય લેપ લગાવી રાખવો નહીં. નહીંતર ચાંદા પડી શકે છે.
પાલકનું સાક
આંતરડા સંબંધિત રોગોમાં પાલકનું શાક ખાવું સ્વાસ્થ્ય માટે હિતદાયક છે.
ચૌલાઇ
ચૌલાઇનું શાક લઇને તેને પીસી નાખો અને તેનો લેપ કરો, તેનાથી શાંતિ મળશે અને પીડા પણ દૂર થશે.
જરૂરી ટિપ્સ-1
રોજ મીઠું મિલાવીને છાછ પીવી. કબજીયાતથી છૂટકારો મેળવી લેવો, તેનાથી કંડીશન વધારે બગડી શકે છે. એક સારું એવું ડાયેટ લો, જેમાં તાજા ફળ અને લીલી પત્તાવાળી શાકભાજીનો સમાવેશ થઇ શકે છે. ડેરી પ્રોડક્ટ્સ, મીટ અને રિફાઇન્ડ શુગર ખાવી નહીં.
જરૂરી ટિપ્સ-2
વિટામિન બી, સી અને ઇ સિમ્પ્લિમેન્ટ લો. કોઇપણ સપ્લિમેન્ટ લીધા પહેલા ડોક્ટરની સલાહ જરૂરી છે. હસતી વખતે આપના પેઢુને સપોર્ટ આપો જેથી વધારે દર્દ ના થાય. થાક લાગવાથી હંમેશા આરામ કરો અને ઉંઘ લો.