કેવી રીતે પકડશો ખાદ્ય પદાર્થની ભેળસેળને?
આજકાલ ખાદ્ય પદાર્થોમાં એટલી ભેળસેળ થઇ રહી છે કે શું સારું અને સાચુ છે તે સમજવું મુશ્કેલ થઇ જાય છે. મેગી વિવાદ બાદ મોટાભાગના લોકોનો બજારમાં મળતી વિવિધ વસ્તુઓ પરથી જાણે કે વિશ્વાસ ઊઠી ગયો છે.
એટલું જ નહીં વારે તહેવાર આપણે સાંભળીએ છે કે ભેળસેળ વાળું દૂધ હતું. ભેળસેળ વાળો લોટો હતો, કે પછી પાવડરમાં જીવાત હતું. ત્યારે આ બધાની વચ્ચે કેવી રીતે તે જાણવું કે આપણે જે ખોરાક ખાઇએ છીએ તે પૌષ્ટિક અને બિનહાનિકારક છે?
ત્યારે તમારી આ મૂંઝવણનો થોડા અંશે નિકાલ તમને આ આર્ટિકલમાં મળશે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જાણી શકશો કે તમે જે ખોરાક ખાવ છો તેમાં કોઇ ભેળસેળ નથી. જુઓ આ ફોટોસ્લાઇડર અને હા તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ આર્ટિકલ શેર જરૂરથી કરજો. જેથી તે પણ આ ભેળસેળથી બચી શકે...

મરચું
મરચાંના પાવડરમાં અનેક વાર ઇંટનો પાવડર, મીઠું કે ટેલકમ પાવડરની ભેળસેળ કરવામાં આવે છે. તો આવા ભેળસેળ વાળા પાવડરને જાણવા મરચાંના પાવડરને પાણી ભરેલા ગ્લાસમાં નાખો. જો તેની સપાટી પર લાલ રંગ આવી જાય તો આ લાલ રંગ ઇંટનો પાવડર હોઇ શકે છે.

ખોયા અને પનીર
ખોયા કે પનીરને પાણીમાં થોડીવાર માટે ઉબાળો. ત્યારબાદ તેમાં થોડુંક આયોડિનના ટીપા નાંખો જો તેનો રંગ વાદળી જેવા કે અન્ય રંગનો થઇ જાય તો સમજી લો કે તેમાં સ્ટાર્ચ મેળવવામાં આવ્યો છે.

નારિયળ તેલ
નારિયળ તેલની નાનકડી બોટલ ફ્રિઝમાં મૂકો. જો તેમાં અલગ અલગ પરત બને અને તે સરખી રીતે ના જામે તો સમજી લો કે તેમાં કોઇ અન્ય તેલ પણ ભેળવવામાં આવ્યું છે.

મધ
મધમાં બોળેલા નાના રૂના પીસને આગ લગાવશો તો તે બળવા લાગે. પણ જો તે શુદ્ધ મધ હશે તો તેમાં ફટાકડા ફૂટે તેવો અવાજ બળતી વખતે આવશે.

ધાણાજીરું
ગરમ પાણીમાં ધાણાજીરું નાંખો. જો તેમાં ભૂસી કે અન્ય કોઇ ભેળસેળ હશે તો તે પાણીની સપાટી પર તરવા લાગશે.

દૂધ
10 એમ એલ જેટલા દૂધમાં 10 એમ એલ પાણી ઉમેરો. જો તેમાં ફીણ વળે તો તેમાં પાવડર ભેળવ્યો હશે.

પાણી વાળું દૂધ
જો દૂધમાં પાણીનું પ્રમાણ વધુ હશે તો આવા દૂધનું એક ટીપું પાણી ભરેલા કપમાં નાંખો. જો સારું દૂધ હશે તો તે ધીરે ધીરે પાણીમાં ભળશે અને સફેદ ડાધ છેવટ સુધી રહેશે. વધુ પાણી હશે તો જલ્દી જ પાણી સાથે મિક્સ થઇ જશે.

સિન્થેટીક દૂધ
સિન્થેટીક દૂધનો સ્વાદ ખરાબ હોય છે. તેને આંગળી વચ્ચે ધસતા તે સાબુની જેમ લપસી જશે અને તેને જો ગરમ કરશો તો તેનો રંગ પીળો હશે.

જીરું
આખા જીરાને બે હાથમાં લઇને મસળો, જો તે કાળું પડી જાય તો સમજો તેમાં કોઇ ભેળસેળ કરવામાં આવી છે.

મરી
ચમકતી મરીને ના લેવી જોઇએ. કારણ કે તેમાં કેરોસિનનું તેલ કે પછી પપૈયાના બિઝ ભેળવેલા હોઇ શકે.

તજ
તજમાં કેટલીક વાર જામફળની છાલ ભેળવવામાં આવે છે. તેને બે હાથ પર ધસવાથી જો તે નકલી હશે તો તે કલર છોડશે.

સફરજન
ચમકતા સફરજન ના ખરીદો. તેની પર મીણની પરત ચઢાવવામાં આવી હોય છે. જો તમે તેની તીક્ષ્ય વસ્તુથી ખોતરશો તો તમારા હાછમાં મીણ આવશે.

લોટ
લોટમાં રેત, ચોક પાવડર ભેળવવામાં આવે છે. જો લોટમાં પાણી વધારે નાંખવું પડે કે પછી રોટલી બરાબર ફૂલે નહીં અને સ્વાદ પણ મીઠો ના લાગે તો સમજવું કે તેમાં ભેળસેળ છે.

ચા
ચામાં લોખંડનું ચૂર્ણ, કુત્રિમ રંગ નાખવામાં આવે છે. જેનાથી પાચનતંત્રમાં અસર થાય છે.

ખાંડ
એક ગ્લાસ પાણીમાં ચીની ભેળવો. જો તેમાં ચોક ભેળવો હશે તો તે ગ્લાસની સપાટીમાં સફેદ પાવડર દેખાશે.

સ્લિવર ફોઇલ
મીઠાઇ પર લગાવામાં આવતા સ્લિવર ફોઇલને જો તમે બાળશો તો તે સારો ફોઇલ હશે તો તે બળીને ચમકદાર વાળ જેવો બનશે પણ જો તે નકલી હશે તો તે કાળા રંગનો થઇ જશે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
