તાંબાના વાસણમાંથી પાણી પીવું કેમ ફાયદાકારક છે? જાણો કારણ
ભારતમાં ઘણા લોકો તાંબાના વાસણોનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓ માને છે કે, આમ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આયુર્વેદ પણ કહે છે કે, સવારે ખાલી પેટે તાંબાના વાસણનું પાણી પીવું ફાયદાકારક છે.
ભારતમાં ઘણા લોકો તાંબાના વાસણોનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓ માને છે કે, આમ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આયુર્વેદ પણ કહે છે કે, સવારે ખાલી પેટે તાંબાના વાસણનું પાણી પીવું ફાયદાકારક છે. તે શરીરની અનેક સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
તાંબાના વાસણમાં પાણી પીવાના ઘણા ફાયદાઓ છે એટલે પહેલાના સમયમાં લોકો તાંબાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હતા. તાંબાની શોધ સિંધુખીણની સભ્યતામાં થઈ હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સિંધુખીણની સંસ્કૃતિ પ્રાચીનકાળની સૌથી વિકસિત સભ્યતાઓમાંથી એક છે.
સવારે નરણા કોઠે તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે ફાયદો
સ્વસ્થ શરીર માટે તાંબુ એક આવશ્યક ખનિજ છે. જે આયર્ન સાથે મળીને લોહી, રોગપ્રતિકારક શક્તિ, નર્વસ સિસ્ટમ અને હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તાંબાના વાસણમાં આખી રાત અથવા ઓછામાં ઓછા 8 કલાક પાણી રાખો અને સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે એટલે કે નરણા કોઠે આ પાણી પીવો.
પાણીને સાફ કરે છે
પાણીને શુદ્ધ કરવામાં તાંબાને ફાયદાકારક માનવામાં આવે છે. વિજ્ઞાન કહે છે કે, કોપર એટલે કે તાંબામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયાને ખતમ કરે છે.જ્યારે તમે તાંબાના વાસણમાં પાણી રાખો છો, ત્યારે તાંબુ તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરીને પાણીને શુદ્ધ કરે છે.
સાંધા-ઘૂંટણના દુ:ખાવામાં આપે છે રાહત
જો તમને સાંધા કે ઘૂંટણમાં દુ:ખાવો થતો હોય તો તમારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે, તાંબામાં બળતરા વિરોધી ગુણ હોય છે. જેશરીરમાં પીડા પેદા કરતી બળતરાને દૂર કરવામાં મદદ કરે છે અને સાંધા અને ઘૂંટણના દુ:ખાવામાં રાહત આપે છે.
વજન ઘટાડવામાં થાય છે મદદરૂપ
શરીરમાં ચાલી રહેલા ચરબીના ચયાપચય માટે કોપર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોપરનો ઉપયોગ ચરબીના કોષોને તોડીને ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે થાય છે. તેથીસવારે તાંબાના વાસણનું પાણી પીવું વજન ઘટાડવામાં ફાયદાકારક છે. વજન ઘટાડવાના પ્રયાસો કરી રહેલા લોકોએ તાંબાના વાસણમાં રાખેલું પાણી અવશ્ય પીવુંજોઈએ.
મગજ માટે છે આરોગ્યવર્ધક
મગજ માટે કોપર ખૂબ જ જરૂરી છે. કારણ કે, કોપર મગજમાં હાજર ન્યુરોટ્રાન્સમીટર્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેના કારણે તમે પાર્કિન્સન, અલ્ઝાઈમર જેવી મગજની બીમારીઓથી દૂર રહો છો, આ સાથે યાદશક્તિ પણ મજબૂત બને છે.