રોજ 20 મીનિટ લીલા ઘાસ પર ચાલો, મળશે આ ફાયદા
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, લોન પર ખુલ્લા પગે ચાલવાથી ફાયદો થાય છે, પણ એ લોન ઘાસ છે બેંક લોન નહીં, પણ શું તમને ખબર છે કે લોન પર ચાલવાથી શું ફાયદા થાય છે? આજે અમે તમને ખુલ્લા પગે ઘાસ પર ચાલવાના ફાયદાઓ વિશે જણાવીશું.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, લોન પર ખુલ્લા પગે ચાલવાથી ફાયદો થાય છે, પણ એ લોન ઘાસ છે બેંક લોન નહીં, પણ શું તમને ખબર છે કે લોન પર ચાલવાથી શું ફાયદા થાય છે? આજે અમે તમને ખુલ્લા પગે ઘાસ પર ચાલવાના ફાયદાઓ વિશે જણાવીશું.
આંખો માટે ફાયદાકારક
જો તમે સવારે ઉઠીને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલશો, તો તેનાથી તમારા પગના તળિયા પર દબાણ આવશે. જેનાંથી આપણા શરીરના ઘણા ભાગોનું દબાણ બિંદુ (એક્યુ પોઇન્ટ) આપણા તળિયામાં હોય છે. જેમાં આંખો પણ શામેલ છે, જો યોગ્ય પોઇન્ટ પર દબાણ આવશે, તો આપણી આંખોની રોશની ચોક્કસપણે વધશે.
એલર્જીની સારવારમાં મદદરૂપ
સવારે વહેલા ઝાકળવાળા ઘાસ પર ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેનાથી આપણને ગ્રીન થેરાપી મળે છે. આ પગ નીચેની કોમળ કોશિકાઓ સાથે સંકળાયેલી ચેતાઓને સક્રિય કરે છે અને મગજમાં સિગ્નલ પહોંચાડે છે, જે એલર્જી જેવી સમસ્યાઓ દૂર કરે છે.
પગને આપે છે આરામ
ખુલ્લા પગે જ્યારે આપણે તેને ભીના ઘાસ પર રાખીને થોડીવાર ચાલીએ છીએ, તો તે પગની સરસ મસાજ કરે છે. આવી સ્થિતિમાં પગની માંસપેશીઓને ખૂબ આરામ મળે છે, જેના કારણે હળવો દુઃખાવો દૂર થઈ જાય છે.
તણાવમાંથી આપે છે રાહત
કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ સવારના સમયે ઘાસ પર ખુલ્લા પગે ચાલવું, આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી મનને આરામ મળે છે અને તણાવ દૂર થાય છે.