Ganesh Chaturthi 2023 : ગણેશ ઉત્સવ પર આ રીતે સજાવો ઘરનું મંદિર
Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમ સાથે ઉજવાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મંદિરને શણગારવામાં આવે છે. આ સાથે ઘરમાં બાપાના આગમન પહેલા પૂજા ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે.
મંદિર અને ઘરની સજાવટ ઘરમાં ઉત્સાહ અને સકારાત્મકતા લાવે છે. આ સાથે ભગવાન ગણપતિ પ્રસન્ન પણ થાય છે, જેનાથી બગડેલા કામ પણ બની જાય છે. ગણેશ ઉત્સવમાં મંદિર અને ઘરની સજાવટ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

ઇકો ફ્રેન્ડલી શણગાર વાપરો - તમે ગણપતિના આગમન માટે ઇકો ફ્રેન્ડલી સજાવટ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ શણગાર માટે તમે મંદિર અને ઘરને છોડથી સજાવટ કરી શકો છો. મંદિરને સજાવવા માટે તમે વાંસના છોડ અને કેળનો ઉપયોગ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ રીતે મંદિર ખૂબ જ સુંદર દેખાશે, તેમજ ઘરને પણ ભવ્ય દેખાવ મળશે.
દીવા પ્રગટાવો - તમે ગણેશ ઉત્સવ પર મંદિરને સજાવવા માટે પરંપરાગત રીતનો ઉપયોગ કરી શકો છો. તમે દીવા પ્રગટાવીને મંદિરને સજાવટ કરી શકો છો. પૂજામાં દીવાનો ઉપયોગ થાય છે. તમે ગણેશ ઉત્સવ પર મંદિર અને ઘરને સજાવવા માટે દીવાનો ઉપયોગ કરી શકો છો.
ફૂલોથી સજાવો - મંદિરને સજાવવા માટે ઘણી વાર ફૂલોનો ઉપયોગ કરાય છે. શણગાર માટે એવા ફૂલોનો ઉપયોગ કરો, જે ઝડપથી સુકાઇ ન જાય. મંદિરની સજાવટ માટે તમે મેરીગોલ્ડ એટલે કે ગલગોટા ફૂલોનો ઉપયોગ કરી શકો છો. હજારીગલના ફૂલો બેથી ત્રણ દિવસ સુધી તાજા રહે છે. હજારીગલના ફૂલોની સજાવટ મંદિરની સુંદરતામાં વધારો કરે છે.
લાઇટ અને બલૂનથી સજાવો - ગણેશ ચતુર્થી પર બાપાનું સ્વાગત કરવા માટે તમે પૂજાઘર કે પંડાલને રંગબેરંગી લાઈટ્સ, ફુગ્ગા અને આર્ટિફિસિયલ પ્લાન્ટથી સજાવટ કરી શકો છો. મંદિરને સજાવવા માટે તમે નવા દુપટ્ટા તેમજ દીવાનો ઉપયોગ કરી શકો છો. રંગબેરંગી લાઈટ્સનો ઉપયોગ કરીને મંદિર ખૂબ જ સુંદર દેખાવ આપી શકાશે, તેમજ ઘરને પણ રીચ લૂક મળશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
