How to: કેવી રીતે પોતાનું જનધન યોજના ખાતું ખોલાવવું? જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં જન-ધન યોજના શરૂ કરી હતી. ત્યારે તમે પણ આ અંગ વિગતવાર જાણવા ઇચ્છો છો તો વાંચો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનધન યોજના, દેશના લોકો એક રાષ્ટ્રીય મિશન હેઠળ લોકો બેંકિગ, બચત અને જમા ખાતા જેવી નાણાંકિય સેવાઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ પાછળનો મુખ્યહેતું આઝાદી પછી 70 વર્ષોથી બેંકિગથી દૂર રહેલા લોકોને આ યોજના હેઠળ બેંકિગ તરફ વાળવા અને તેમને તે માટે ઉત્સાહિત કરવાનો હતો. જેથી કરીને દેશની અર્થવ્યવસ્થા સાથે તેમને સીધી રીતે જોડી શકાય. તો જો તમે પણ જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા ઇચ્છતા હોવ કે પછી આ અંગે ગુજરાતીમાં વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો વાંચો આ આર્ટીકલ.

કોણ ખાતું ખોલાવી શકે?
- કોઇ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક હોય તે આ યોજનામાં ખાતુ ખોલાવી શકે છે.
- 10 વર્ષથી નીચેનો બાળક પણ ખાતુ ખોલાવી શકે છે. આવા કેસમાં બાળકના માતા પિતા ખાતાની સંભાળ રાખી શકે છે.
- જેની પાસે પણ સરકારી અધિકારી દ્વારા સ્થાપિત ઓળકપત્ર જેમ કે આધાર કાર્ડ હોય તે પણ આ ખાતું ખોલાવી શકે છે.

કેવી રીતે?
આ માટે જન ધન યોજનાની અધિકૃત બેંકોના લિસ્ટ પ્રમાણે જે તે બેંકમાં જવું. ત્યાં તમને એકાઉન્ટ ખોલવા માટે ફોર્મ આપવામાં આવશે.

ફોર્મમાં શું હશે?
જન ધન યોજના માટે તમારે આઇડી પ્રુફ જેમ કે આધાર કાર્ડ સાથે તમામ વિગતો ભરે ટ્રૂ કોપી આપી ફોર્મ બેંકમાં જમા કરાવવું પડશે. આ અરજીમાં કંઇ બેંકમાં ખાતુ ખોલવું, બ્રાન્ચનું નામ શું, ગામ, જિલ્લો, રાજ્ય, પિનકોર્ડ તમામ વિગતો બરાબર રીતે લખવાની રહેશે.

આઇડી પ્રુફ
તમારી જોડે જો આધાર કાર્ડ છે તો આ અરજી સાથે તમારે અન્ય કોઇ પણ દસ્તાવેજ આપવાની જરૂર નથી. પણ જો આધાર કાર્ડ નથી તો તમે નીચે મુજબ દસ્તાવેજ આપી શકો છો.
- વોટરકાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ
- નરેગા કાર્ડ (મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)

શું છે લાભ?
- આ યોજના હેઠળ ખાતુ ખોલવાથી તમને રૂપે ડેબિટ કાર્ડ મળશે. જેનાથી તમે પૈસા નીકાળી પણ શકશો અને ખરીદી પણ કરી શકશો.
- આ યોજના હેઠળ તમે જીરો બેલેન્સ સાથે ખાતુ ખોલી શકો છો. પૈસા નીકાળવા અને જમા મફતમાં કરી શકો છે.
- તમે કોઇ પણ ભાડુ ભર્યા વગર ફંડ ટ્રાંસફર કરી શકો છો.
- ખાતા સાથે નિ:શુલ્ક મોબાઇલ બેંકિગ સુવિધા પણ આપવામાં આવશે.
- એક પરિવારમાંથી કોઇ પણ બે લોકો જનધન યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી શકે છે.
- વધુમાં પરિવારમાં જે બે વ્યક્તિઓ જનધન ખોલાવે છે તેમાં એક વ્યક્તિ દીઠ રૂ.5000 સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ સરકારે આપી છે. અને તે માટે ઘરેલુ મહિલાને પહેલું પ્રાધાન્ય આપ્યું છે.
- સાથે જ એક એકાઉન્ટ દીઠ રૂ. 1 લાખનું આકસ્મિક કવર અને 30,000 રૂપિયાનું મફત લાઇફ કવર પણ સરકાર આપી રહી છે.

હવે વધુ વાંચો આધાર Pay વિષે

PM મોદીનીન ઉડ્ડાન સ્કીમ વિષે વધુ વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી. આ સ્કીમ હેઠળ એક કલાકની ઉડ્ડાન માટે ભાડુ 2500 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
