જૉબ સર્ક્યુલરમાં લખ્યુ હતુ - '2021 પાસ ઉમેદવાર પાત્ર નથી', હવે HDFC બેંકે આપવી પડી સફાઈ
બેંક તરફથી જાહેર કરવામાં આવેલ એક જાહેરાતમાં એક એવી લાઈન લખવામાં આવી છે તે બાદ સર્ક્યુલર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે આખો દેશ દોઢ વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે. કોરોનાના કારણે દેશની આર્થિક સ્થિતિ ઉપરાંત શિક્ષણ પર પણ તેની મોટી અસર પડી છે. છાત્રોને આ વાયરસથી બચાવવા માટે પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી અને પરીક્ષા આપ્યા વિના જ તેમને પ્રમોટ કરવામાં આવ્યા છે આ દરમિયાન એચડીએફસી બેંક તરફથી છાપામાં આપવામાં આવેલ સર્ક્યુલરથી ઉમેદવારોમાં હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં બેંક તરફથી જાહેર કરવામાં આવેલ એક જાહેરાતમાં એક એવી લાઈન લખવામાં આવી છે તે બાદ સર્ક્યુલર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યુ છે.

કોરોનાના કારણે પસાર થયેલો સમય કહેવા માટે તો છાત્રો માટે સરળ હોઈ શકે છે પરંતુ હવે પરીક્ષા, એડમિશન અને જૉબની સંભાવનાઓ માટે ઘણી બધી ચિંતાઓ સામે ઝઝૂમવુ પડી રહ્યુ છે. કારણકે હાલમાં જ એચડીએફસી બેંક તરફથી કાઢવામાં આવેલ જૉબની ઑફર ઉમેદવાર માટે ચિંતા વધારવાનુ કામ કરી રહી છે. નવા ગ્રેજ્યુએટ પોતાના કરિયર માટે ટેન્શનમાં છે. નોકરીઓ માટે વધતી ચિંતાઓ વચ્ચે ખાનગી બેંકની આ એડથી લોકોની ચિંતા વધારી દીધી છે.
'2021 બેચના સ્ટુડન્ટ્સ વેકેન્સી માટે પાત્ર નથી'
વાસ્તવમાં એચડીએફસી બેંકે તમિલનાડુના મદુરાઈમાં નોકરી માટે છાપામાં એક જાહેરાત જાહેર કરી હતી. આ એડમાં સ્પષ્ટ લખ્યુ હતુ કે વર્ષ 2021 બેચની સ્ટુડન્ટ્સ આ વેકેન્સી માટે પાત્ર નથી. એડમાં જણાવ્યા મુજબ મદુરાઈમાં 3 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી સ્નાતકો માટે લૉક-ઈન ઈન્ટરવ્યુની ઘોષણા કરવામાં આવી હતી. જાહેરાતમાં ઈન્ટરવ્યુના લોકેશન અને વર્ક લોકેશન વિશે પણ જણાવવામાં આવ્યુ હતુ પરંતુ ઉંમરના માપદંડની બરાબર નીચે એક એવી લાઈન લખી હતી જેણે લોકોને ચોંકાવી દીધા છે. જેમાં લખવામાં આવ્યુ હતુ, '2021 બેચના સ્ટુડન્ટ્સ વેકેન્સી માટે પાત્ર નથી'
બેંકે બાદમાં જાહેર કરી સફાઈ
વળી, હવે જ્યારે જૉબ એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને લોકો ટીકા કરવા લાગ્યા ત્યારે વિવાદ વધ્યા બાદ બેંક મેનેજમેન્ટ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ. બેંકે કહ્યુ કે આ એક ટાઈપો છે અને અમને ભૂલ બદલ દુઃખ છે. બેંકના પ્રવકતાએ જણાવ્યુ કે 2021માં ગ્રેજ્એશન પાસ કરનાર પણ જૉબ માટે અપ્લાય કરી શકે છે. તેમણે ઉંમરની શરત પૂરી કરવાની રહેશે. WIONના રિપોર્ટ મુજબ પ્રવકતાએ જણાવ્યુ કે નોકરીની જાહેરાતનુ યોગ્ય વર્ઝન બાદમાં છાપામાં છાપવામાં આવ્યુ હતુ. બેંક તરપથી વિવાદ વધ્યા બાદ એ એડને હટાવીને નવી જાહેરત જાહેર કરી દેવામાં આવી છે.
આ તરફ લોકો વચ્ચે બેંક તરફતી જાહેર કરવામાં આવેલ નોકરીની જાહેરાત ઘણી ચર્ચામાં રહી. કોઈએ આને અર્થવિહીન ગણાવ્યુ જ્યારે કોઈ આને કોરોના બેચની મજાક ગણવા લાગ્યા. આ બધા વચ્ચે આવી જાહેરાત એ યુવાનોનુ મનોબળ તોડવાનુ કામ કરી રહ્યા છે જે બેંકમાં પોતાનુ કરિયર બનાવવાની ઈચ્છા રાખે છે. વળી, ઘણા સવાલ પણ સામે આવવાના છે જેના જવાબની યુવાનો રાહ જોશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
