કોરોનાના કારણે મે 2021 સત્રની JEE Main પરીક્ષા સ્થગિત
કોરોનાના કારણે મે 2021 સત્રની JEE Main પરીક્ષા સ્થગિત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મે સત્રની જેઈઈ મેન 2021 પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આખા દેશમાં કોરોનાવાયરસના વધતા મામલાના કારણે પરીક્ષાર્થિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આ ફેસલો લેવાયો છે. જણાવી દઈએ કે મે સત્રની પરીક્ષા 24, 25, 26, 27 અને 28 મે 2021ના રોજ આયોજિત થનાર હતી. એનટીએ દ્વારા જાહેર કરાયેલ નોટિસ મુજબ મે સત્ર માટે રજિસ્ટ્રેશનની ઘોષણા બાદમાં કરાશે અને એપ્રિલ અને મે સત્રનું પુનર્નિર્ધારણ પણ કરાશે.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતની જાણકારી આપતા ટ્વીટ કર્યું કે, કોરોનાવાયરસની સ્થિતિને જોતાં વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ મે 2021 સત્રની જેઈઈ મેન પરીક્ષા સ્થગિત કરવાનો ફેસલો લીધો છે. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ વધુ જાણકારી માટે એનટીએની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહે.












Click it and Unblock the Notifications
