Pics: 11 મહિના અને 11 દિવસ બાદ કેન્સર ફ્રી થઈને ભારત પાછા આવ્યા ઋષિ કપૂર
બોલિવુડના જાણીતા ચાર્મિંગ હીરો ઋષિ કપૂર પૂરા 11 મહિના અને 11 દિવસ બાદ ન્યૂયોર્કથી ગઈ રાતે ભારત પાછા આવી ગયા છે.
બોલિવુડના જાણીતા ચાર્મિંગ હીરો ઋષિ કપૂર પૂરા 11 મહિના અને 11 દિવસ બાદ ન્યૂયોર્કથી ગઈ રાતે ભારત પાછા આવી ગયા છે. તેમનો ન્યૂયોર્કમાં કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ સમય ઋષિ કપૂર માટે ખૂબ જ મુશ્કેલીભર્યો હતો પરંતુ અભિનેતાએ મજબૂતી સાથે કેન્સર સામે જંગ લડી અને જીતી પણ. ગઈ રાતે ઋષિ કપૂર કેન્સર ફ્રી થઈને ભારત પાછા આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર અભિનેતાની પત્ની નીતૂ કપૂર સાથે તેમને સ્પૉટ કરવામાં આવ્યા જ્યાં બંને ખુશ જોવા મળ્યા.
કેન્સર ફ્રી થઈને ભારત પાછા આવ્યા
ઋષિ કપૂર અને નીતૂ કપૂરે એરપોર્ટ પર પાપારાઝીને સ્માઈલ કરીને પોઝ આપ્યા, બંને સાથે ખુશ દેખાઈ રહ્યા હતા. ઋષિ કપૂર કેઝ્યુઅલ લુકમાં હતા અને જોવાથી સ્વસ્થ લાગી રહ્યા હતા. સોમવારે જ દિકરી રિદ્ધિમા કપૂરે ઈન્સ્ટા સ્ટોરી પર માહિતી આપી હતી કે ઋષિ-નીતૂ પાછા આવી રહ્યા છે. વળી, તેમના અઝીઝ દોસ્ત અનુપમ ખેરે પણ ઋષિના સ્વદેશ પાછા આવવાની માહિતી આપી હતી.
|
ઋષિનો ઈલાજ ન્યૂયોર્કમાં ચાલી રહ્યો હતો...
ઉલ્લેખનીય છે કે ઋષિનો ઈલાજ ન્યૂયોર્કમાં થઈ રહ્યો હતો. ન્યૂયોર્ક જતી વખતે ઋષિ કપૂરે પોતાની બિમારી વિશે કોઈ માહિતી આપી નહોતી માત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને જણાવ્યુ હતુ કે તે અમુક મહિનાઓસુધી તેમનાથી દૂર રહેશે અને આજ સુધી અધિકૃત રીતે એ સ્પષ્ટ નથી કે ઋષિને શું બિમારી હતુ. જો કે મીડિયા રિપોર્ટ્સમાં એ જ કહેવામાં આવ્યુ છે કે તેમને કેન્સર હતુ જ્યારે તે કે તેમના ફેમિલી મેમ્બરે તેમની આ બિમારી વિશે ખુલીને ક્યારેય કોઈ વાત કરી નથી.
|
ઋષિ કપૂરે નીતૂ કપૂરની પ્રશંસા કરી હતી...
જો કે ટાઈમ્સ નાઉ સાથે ઈન્ટરવ્યુમાં ઋષિ કપૂરે નીતૂ કપૂર વિશે ઘણી વાતો જણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, "નીતૂએ આ બિમારી સાથે જંગ દરમિયાન તેમની સપોર્ટ સિસ્ટમ બની. તેમણે નીતૂ કપૂરને પોતાની ‘જિબ્રાલ્ટરની ચટ્ટાન' રૂપે વર્ણવી અને કહ્યુ તે જિબ્રાલ્ટરની એક ચટ્ટાનની જેમ મારી સાથે રહી અને વાસ્તવમાં મારુ સમર્થન કર્યુ. તેના સમર્થન વિના હું કંઈ કરી શકતો નહિ." હાલમાં ઋષિ કપૂર ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. આશા રાખીએ કે તે જલ્દી મોટા પડદે જોવા મળશે.