Welcome 3: પોસ્ટર રીલિઝ થતા જ વિવાદોમાં ઘેરાઈ 'વેલકમ 3', ફિલ્મનુ શૂટિંગ અટકાવાયુ, જાણો સમગ્ર મામલો
Welcome 3 Controversy: બૉલિવુડના ખિલાડી અક્ષય કુમારે હાલમાં જ તેની આગામી ફિલ્મ વેલકમ 3ની જાહેરાત કરી હતી. આ સાથે તેણે ફિલ્મનું પોસ્ટર શેર કરીને સમગ્ર સ્ટાર કાસ્ટનો પરિચય પણ કરાવ્યો હતો. આ જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. પરંતુ હવે વેલકમ 3ને લઈને વિવાદ ઉભો થયો છે.
આ વિવાદના કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. વાસ્તવમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેના પર આરોપ છે કે તેણે ફિલ્મ વેલકમ ફ્રેન્ચાઈઝીની સ્ટારકાસ્ટ અને અન્ય કામદારોને હજુ સુધી ચૂકવણી કરી નથી.

જેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. ફેડરેશન અનુસાર, નડિયાદવાલાએ કામદારોને લગભગ 4 કરોડ રૂપિયા ચૂકવવાના હતા પરંતુ તેણે ફિલ્મ પૂરી થયા પછી તેને ઘટાડીને 2 કરોડ રૂપિયા કરી દીધી. હવે ફેડરેશનની માંગ છે કે જ્યાં સુધી તેમના આખા 2 કરોડ રૂપિયા પરત નહીં કરવામાં આવે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ થવા દેવામાં નહીં આવે.
આ માટે તેણે ફિલ્મની સ્ટાર કાસ્ટની પણ મદદ લીધી છે. ઈ ટાઈમ્સ સાથે વાત કરતા, FWICE ચેરમેન BN તિવારીએ જણાવ્યું હતું કે, "ફિરોઝ નડિયાદવાલાએ 2015માં વેલકમ 2ના ટેકનિશિયનોને ચૂકવણી કરી હતી અને તેની રકમ લગભગ 4 કરોડ રૂપિયા હતી. જે બાદમાં ઘટાડીને રૂ.2 કરોડ કરવામાં આવી હતી. જોકે, ચેક જમા કરાવ્યા બાદ ફિરોઝે તેને પણ રોક્યો હતો. હવે જ્યાં સુધી તે બાકી ચૂકવણી નહીં કરે ત્યાં સુધી અમે તેને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપીશું નહીં."
હાલમાં જ અક્ષય કુમારે વેલકમ ટુ ધ જંગલનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ વેલકમ 2ની સિક્વલ છે. આ વખતે ફિલ્મમાં મલ્ટીસ્ટાર કાસ્ટ છે. અક્ષય કુમાર સિવાય દિશા પટની, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડીઝ, પરેશ રાવલ, જોની લીવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા જેવા ઘણા મોટા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો ફિલ્મને લઈને વિવાદનો અંત આવશે તો તે આવતા વર્ષે 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
