અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર લગ્ન કરવા જઈ રહ્યા છે? જાણો શું કહ્યું રણબીર કપૂરે?
આ દિવસોમાં બોલિવૂડની વધુ એક હસીના તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. ઘણા સમથી ચર્ચા ચાલી રહી છે કે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ સમાચારો વચ્ચે હવે રણબીર કપૂરે મોટો ખુલાસો કર્યો છે.
હાલમાં જ રણબીર કપૂરે એક ઈન્ટર્વ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો. અહીં તેને આદિત્ય રોય કપૂર અને અનન્ચા પાંડેની રિલેશનશિપ મુદ્દે મોટુ નિવેદન આપ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી બી-ટાઉનમાં બન્ને સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઐશ્વર્યા મહાજન સાથે વાત કરતા રણબીર કપૂરે રણબીરે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધો પર ખુલ્લીને વાત કરી, વાતચીત દરમિયાન ઐશ્વર્યા મહાજને રણબીર કપૂરને કહ્યું કે તે આદિત્ય રોયને ખૂબ પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.
ઐશ્વર્યાએ આમ કહેતા રણબીરે આદિત્યને ફોન કરે છે અને ઐશ્વર્યાને તેની સાથે વાત કરવા બોલાવે છે. ત્યારે રણબીર કહે છે કે આદિત્યને એવી છોકરીઓ ગમે છે જેનું નામ A થી શરૂ થાય છે. હવે રણબીરના જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આદિત્ય રોય અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરી રહ્યા છે.
હવે રણબીર કપૂરનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આદિત્ય અને અનન્યા ફેન્સ આને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આદિત્ય અને અનન્યા ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં જ આદિત્ય અને અનન્યા કરણ જોહરની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને બ્લેક ડ્રેસમાં છવાયા હતા.












Click it and Unblock the Notifications
