For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનમ કપૂર-આનંદ આહૂજાના લગ્નમાં આવી શકે છે વિરાટ-અનુષ્કા

સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નની ચર્ચા હમણાંથી બોલીવુડની ગલીઓમાં સંભળાઈ રહી છે. સમાચાર એ છે કે હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સોનમ કપૂરના લગ્નમાં શામિલ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નની ચર્ચા હમણાંથી બોલીવુડની ગલીઓમાં સંભળાઈ રહી છે. તેમને જણાવી દઈએ કે આ લગ્ન માટે ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે અને હવે તૈયારીઓ તેના આખરી પડાવમાં છે. સમાચાર એ છે કે હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સોનમ કપૂરના લગ્નમાં શામિલ થઈ શકે છે. જેમ જેમ સોનમના લગ્ન નજીક આવી રહ્યા છે આ અફવા પાક્કી થતી જાય છે.

3 હજાર કરોડની સંપત્તિ

3 હજાર કરોડની સંપત્તિ

તમને જણાવી દઈએ કે 7 મે ના રોજ સોનમ કપૂરની મેંદીની રસમ થશે. 8 મે ના રોજ બંને સાત જન્મો માટે એકબીજાના થઈ જશે. નોંધનીય છે કે સોનમ કપૂરના લગ્ન જાણીતા બિઝનેસમેન આનંદ આહૂજા સાથે થઈ રહ્યા છે. આનંદ આહૂજા ઘણા બધા બિઝનેસ કરે છે અને ખૂબ અમીર છે. સૂત્રોની માનીએ તો આનંદ આહૂજા પાસે 3 હજાર કરોડની સંપત્તિ હોવાની વાત કહેવામાં આવી છે.

આઈપીએલમાં બિઝી

આઈપીએલમાં બિઝી

વિરાટ કોહલીની વાત કરીએ તો હાલમાં તે આઈપીએલમાં બિઝી છે અને અનુષ્કા શર્મા ફિલ્મ સૂઈ ધાગાનું શૂટિંગ કરી રહી છે. અનુષ્કા અને વિરાટના લગ્ન અચાનક થયા હતા અને તેમણે ઈટલી જઈને લગ્ન કર્યા હતા. ત્યારબાદ ભારત પાછા ફર્યા બાદ તેમણે દિલ્હી અને મુંબઈમાં લગ્નનું રિસેપ્શન રાખ્યુ હતું.

કલંકના શૂટિંગમાં બિઝી

કલંકના શૂટિંગમાં બિઝી

હાલમાં સોનમ કપૂરના લગ્ન એક મોટા લગ્ન થવાના છે એમાં કોઈ શક નથી. આ લગ્નમાં ઘણી મોટી હસ્તીઓ શામેલ થવાની છે જેમાં એક નામ વરુણ ધવનનું પણ શામિલ છે. જો કે આ લગ્નમાં વરુણ ધવનનો આખો પરિવાર શામેલ થવાનો છે. તેમને જણાવી દઈએ કે વરુણ ધવન હાલમાં ફિલ્મ કલંકના શૂટિંગમાં બિઝી છે અને તેણે રજાની અરજી પહેલાથી જ આપી દીધી છે. વરુણ અંગે સમાચાર આવ્યા હતા કે ફિલ્મ કલંકના ફિલ્મમેકર્સને તેણે કહ્યું હતુ કે તે 7 અને 8 મે ના રોજ શૂટ નહિ કરે જેને કારણે શૂટિંગ રોકવુ પડી શકે છે.

સોનમ અને આનંદ આહૂજા

સોનમ અને આનંદ આહૂજા

સોનમ અને આનંદ આહૂજાની વાત કરીએ તો બંને એકબીજાને ઘણા સમયથી જોડાયેલા છે અને બધાની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યા કરતા હતા. સોનમ કપૂરે એક સ્ટેટમેન્ટમાં કહ્યુ હતુ કે તે આનંદ સાથે જ્યારે હોય છે તો તેને કોઈની પણ ગેરહાજરી નથી અનુભવાતી અને તેને એકદમ શાંતિ મળે છે. હાલમાં સોનમ કપૂર 8 મે ના રોજ હંમેશા માટે આનંદ આહૂજાના જીવનમાં આવી જવાની છે.

English summary
are anushka sharma virat kohli attending sonam kapoor anand ahuja wedding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X