છત્રીસના બિઝનેસમૅનને પરણી ગયાં એકસઠના ઝીનત
મુંબઈ, 6 ફેબ્રુઆરી : વીતેલા જમાનાના સેક્સ સિમ્બૉલ અભિનેત્રી ઝીનત અમાન છત્રીસ વર્ષના બિઝનેસમૅનને પરણી ગયાં છે. અનેક સિદ્ધાંતો અને મર્યાદાઓ તોડી બૉલીવુડમાં એક જુદી ઓળખ સ્થાપિત કરનાર ઝીનત હાલ 61 વર્ષના છે, પરંતુ સાઇઠની વયે તેમણે બીજી વાર દુલ્હન બનવાનું સાહસિક પગલું ભર્યું છે.

એવું કહેવાય છે કે ઝીનત અમાને પોતાનાથી લગભગ 24 વર્ષ નાના મુંબઈના જાણીતા બિઝનેસમૅન સાથે લગ્ન કરી લીધાં છે, તો કેટલાંક લોકોનું કહેવું છે કે ઝીનતે શિવસેનાના કોઇક નેતા જોડે લગ્ન કર્યાં છે કે જે તેમના કરતાં ઉંમરમાં અડધો છે. ખેર, ઝીનતે પણ માન્યું છે કે તેમણે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હજી લગ્ન કર્યાં નથી, પરંતુ તેનાથી વધુ ખુલાસો કરવાનો તેમણે ઇનકાર કર્યો છે.
ભારતના પ્રથમ મિસ એશિયા રહી ચુકેલા ઝીનતને પ્રથમ લગ્નથી બે પુત્રો અઝાન અને ઝહાન છે કે જેમની ઉંમર ક્રમશઃ 26 અને 23 વર્ષ છે. ઝીનતે જણાવ્યું કે પતિ મઝહરના મોત બાદ હું સ્વપ્નમાંય બીજા લગ્નનું વિચારી શકતી નહોતી, પરંતુ મારા બંને પુત્રોએ મને બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરી અને તેથી હું લગ્નનો નિર્ણય કરી શકી. હવે મને સારૂં લાગી રહ્યું છે કે બીજી વાર દુલ્હન બની મને એવું અનુભવાય છે કે જાણે હું ફરી યુવાન થઈ ગઈ હોઉં.
આપને જણાવી દઇએ કે હરે રામા હરે કૃષ્ણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર ઝીનત અમાનને લોકો એક બોલ્ડ અભિનેત્રી તરીકે જ ઓળખે છે. અભિનેતા દેવાનંદ સાથે તેમને ખાસ સંબંધો હતાં. તે વાત દેવાનંદે પણ સ્વીકારી હતી, પરંતુ તેઓ હંમેશા કહેતાં કે હું ઝીનતને પ્રેમ કરતો હતો, પરંતુ ઝીનતે ક્યારેય મારી સાથે પ્રેમ નથી કર્યો. આ એકપક્ષી પ્રેમ હતો. પછી અભિનેતા સંજય ખાન સાથે ઝીનત અમાન લાંબા વખત સુધી રિલેશનશિપમાં રહ્યાં, પરંતુ બંનેએ લગ્ન ન કર્યાં અને રિલેશનશિપ તૂટી ગઈ. પછી અચાનક ઝીનતના જીવનમાં અભિનેતા મઝહર ખાન આવ્યાં. ઝીનતે 1985માં તેમની સાથે લગ્ન કરી લીધાં, પરંતુ મઝહર સાથે તેમના સંબંધો મધુર નહોતાં.
મીડિયામાંથી સમાચારો આવતાં રહેતાં કે મઝહરને ડ્રગ્સ લેવાની કુટેવ છે. તેઓ ઝીનત ઉપર અત્યાચાર કરે છે, મારઝૂડ કરે છે. આ લગ્ન દ્વારા જ ઝીનતાના બે પુત્રો છે. 1998માં મઝહરને કૅંસર થયું અને તેમનું મૃત્યુ થઈ ગયું. જોકે ઝીનત પતિના મોત સુધી તેમના પ્રત્યે સમર્પિત રહ્યાં.












Click it and Unblock the Notifications
