છત્રીસના બિઝનેસમૅનને પરણી ગયાં એકસઠના ઝીનત
મુંબઈ, 6 ફેબ્રુઆરી : વીતેલા જમાનાના સેક્સ સિમ્બૉલ અભિનેત્રી ઝીનત અમાન છત્રીસ વર્ષના બિઝનેસમૅનને પરણી ગયાં છે. અનેક સિદ્ધાંતો અને મર્યાદાઓ તોડી બૉલીવુડમાં એક જુદી ઓળખ સ્થાપિત કરનાર ઝીનત હાલ 61 વર્ષના છે, પરંતુ સાઇઠની વયે તેમણે બીજી વાર દુલ્હન બનવાનું સાહસિક પગલું ભર્યું છે.

એવું કહેવાય છે કે ઝીનત અમાને પોતાનાથી લગભગ 24 વર્ષ નાના મુંબઈના જાણીતા બિઝનેસમૅન સાથે લગ્ન કરી લીધાં છે, તો કેટલાંક લોકોનું કહેવું છે કે ઝીનતે શિવસેનાના કોઇક નેતા જોડે લગ્ન કર્યાં છે કે જે તેમના કરતાં ઉંમરમાં અડધો છે. ખેર, ઝીનતે પણ માન્યું છે કે તેમણે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હજી લગ્ન કર્યાં નથી, પરંતુ તેનાથી વધુ ખુલાસો કરવાનો તેમણે ઇનકાર કર્યો છે.
ભારતના પ્રથમ મિસ એશિયા રહી ચુકેલા ઝીનતને પ્રથમ લગ્નથી બે પુત્રો અઝાન અને ઝહાન છે કે જેમની ઉંમર ક્રમશઃ 26 અને 23 વર્ષ છે. ઝીનતે જણાવ્યું કે પતિ મઝહરના મોત બાદ હું સ્વપ્નમાંય બીજા લગ્નનું વિચારી શકતી નહોતી, પરંતુ મારા બંને પુત્રોએ મને બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરી અને તેથી હું લગ્નનો નિર્ણય કરી શકી. હવે મને સારૂં લાગી રહ્યું છે કે બીજી વાર દુલ્હન બની મને એવું અનુભવાય છે કે જાણે હું ફરી યુવાન થઈ ગઈ હોઉં.
આપને જણાવી દઇએ કે હરે રામા હરે કૃષ્ણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર ઝીનત અમાનને લોકો એક બોલ્ડ અભિનેત્રી તરીકે જ ઓળખે છે. અભિનેતા દેવાનંદ સાથે તેમને ખાસ સંબંધો હતાં. તે વાત દેવાનંદે પણ સ્વીકારી હતી, પરંતુ તેઓ હંમેશા કહેતાં કે હું ઝીનતને પ્રેમ કરતો હતો, પરંતુ ઝીનતે ક્યારેય મારી સાથે પ્રેમ નથી કર્યો. આ એકપક્ષી પ્રેમ હતો. પછી અભિનેતા સંજય ખાન સાથે ઝીનત અમાન લાંબા વખત સુધી રિલેશનશિપમાં રહ્યાં, પરંતુ બંનેએ લગ્ન ન કર્યાં અને રિલેશનશિપ તૂટી ગઈ. પછી અચાનક ઝીનતના જીવનમાં અભિનેતા મઝહર ખાન આવ્યાં. ઝીનતે 1985માં તેમની સાથે લગ્ન કરી લીધાં, પરંતુ મઝહર સાથે તેમના સંબંધો મધુર નહોતાં.
મીડિયામાંથી સમાચારો આવતાં રહેતાં કે મઝહરને ડ્રગ્સ લેવાની કુટેવ છે. તેઓ ઝીનત ઉપર અત્યાચાર કરે છે, મારઝૂડ કરે છે. આ લગ્ન દ્વારા જ ઝીનતાના બે પુત્રો છે. 1998માં મઝહરને કૅંસર થયું અને તેમનું મૃત્યુ થઈ ગયું. જોકે ઝીનત પતિના મોત સુધી તેમના પ્રત્યે સમર્પિત રહ્યાં.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
