બબિતાજીએ ટપ્પુ સાથે ગુપસુપ સગાઈ કરી લીધી? જાણો શું છે વાયરલ સમાચારનું સત્ય?
હાલ સોશિયલ મીડિયા પર તારક મહેતા ફેમ બબીબાજી એટલે કે મુનમુન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ અનડકટની સગાઈના સમાચાર સામે આવ્યા છે.
આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ જાણવા માંગે છે કે આ કપલે ખરેખર સગાઈ કરી છે કે પછી ફેર ન્યુઝ છે. હવે ખુદ બબીતાજીએ ખુલાસો કરી દીધો છે.

મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથે ઉરીની સગાઈના સમાચારને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. બીજી તરફ રાજની પીઆર ટીમે પણ આ અહેવાલોને નકારી કાઢ્યા.
ફેન્સને સગાઈની સત્યતા જણાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જોયા પછી મેકર્સ સંપૂર્ણપણે કન્ફ્યુઝ થઈ ગયા છે.
સગાઈની અફવા પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં પોપટ લાલ અને અંજલિ ઘરની બહાર શાકભાજી ખરીદતા જોવા મળે છે. તેમની સામેથી પસાર થઈ રહેલી બબીતાજી ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે.
ફોટામાં મુનમુન દત્તા તરફ ઈશારો કરીને કેપ્શન પર લખ્યું છે કે હેલો એક સારા સમાચાર છે. આ પછી ફોટોની નીચે બીજું કેપ્શન લખ્યું છે કે બબીતા જી માટે કયા સારા સમાચાર હશે?
આ ફોટો શેર કરતા લખ્યું છે કે બબીતાજી તમે શું કહેવા માગો છો, જલ્દી કહો. હવે આ પોસ્ટ વાયરલ થયા બાદ ચાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
જણાવી દઈએ કે, સગાઈના ફેક ન્યૂઝ પર ગુસ્સો વ્યક્ત કરતા મુનમુન દત્તાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આ બધા બકવાસ અને ખોટા સમાચાર છે. હું આ બધા સમાચારો પર મારી શક્તિ વેડફવા માંગતી નથી.
જણાવી દઈએ કે, મુનમુન અને રાજ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોની અફવાને લઈને ચર્ચામાં છે. જોકે બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા નથી.












Click it and Unblock the Notifications
