બજાતે રહોની પ્રાણને શ્રદ્ધાંજલિ, મ્યુઝિક લૉન્ચ સ્થગિત
મુંબઈ, 13 જુલાઈ : પ્રાણનું નિધન થતાં બૉલીવુડ શોકગ્રસ્ત છે અને એટલે જ આજના દિવસના કેટલાંક કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યાં. તેવી જ એક ઇવેંટ યોજાવાની હતી બજાતે રહો ફિલ્મની, પરંતુ ફિલ્મની ટીમે પ્રાણના નિધનના પગલે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમ સ્થગિત કરી નાંખ્યું.

બજાતે રહો ફિલ્મના નિર્માતા કૃષિકા લુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું - પ્રાણ જેવા લીજેન્ડરી અભિનેતાના નિધનના દિવસે કોઈ પણ પ્રકારનો ઉત્સવ ઉજવવાના પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પ્રાણ ભારતીય સિનેમાના જાજરમાન અભિનેતા હતાં અને તેમના નિધનના પગલે તેમના સન્માનમાં અમે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમ સ્થગિત કર્યું છે. તેમણે જણાવ્યું - મારી ટીમ બૉલીવુડના દુઃખમાં સહભાગી છે.
નોંધનીય છે કે પ્રાણનું ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે નિધન થઈ ગયું. તેઓ 93 વર્ષના હતાં. તેમનું નિધન થતાં બજાતે રહો ફિલ્મનું લૉન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું. સુશાંત શાહ દિગ્દર્શિત બજાતે રહો ફિલ્મમાં વિનય પાઠક, ડૉલી અહલુવાલિયા તથા તુષાર કપૂર લીડ રોલમાં છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
