બિપાશાને વાયરલ ફીવર, તબીયત સુધારા પર
મુંબઈ. 13 સપ્ટેમ્બર: બૉલીવુડની હૉટ અભિનેત્રી બિપાશા બાસુને તાવ અને થાકની ફરિયાદને પગલે અત્રેની એક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. પછીથી તેને રજા આપી દેવામાં આવી હતી.
33 વર્ષીય બિપાશાને ગઈકાલે બપોર પછી તાવ અને થાકની ફરિયાદ પછી અત્રેની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું.
લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તા ડૉ. સુધીર દગાંવકરે જણાવ્યું હતું કે તબીયતમાં સુધારો જણાતાં પછીથી તેને રજા આપી દેવામાં આવી હતી. તે ડૉક્ટર્સના ઑબ્ઝર્વેશન હેઠળ હતી. પછી તેની તબીયતમાં સુધારો જણાતાં તેને રજા આપી દેવામાં આવી હતી.
બિપાશાએ આજે ટ્વિટ કરી પોતાના ફેંસને પોતાની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતું. તેણે ટ્વિટ કર્યું છેઃ ‘એ લોકો જેઓ મારા હૉસ્પિટલાઇઝ્ડ થવાથી ચિંતિત હતાં, તેમને જણાવું છું કે હું હવે સ્વસ્થ છું.' વિક્રમ ભટ્ટની ફિલ્મ રાઝ-3 માં મુખ્ય ભૂમિકા ભજવનાર બિપાશાએ જણાવ્યું કે સાજી થઈને આ ફિલ્મની સફળતાની ઉજવણી કરશે. તેણે રાઝ-3ને સફળ બનાવવા માટે બધા પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો.