આકસ્મિક નહિ, શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી, ડીજીપીનો દાવો
આકસ્મિક નહિ, શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી, ડીજીપીનો દાવો
નવી દિલ્હીઃ અભિનેત્રી શ્રીવેદીની હત્યાને લઈ કેરળના ડીજીપી જેલ ઋષિરાજ સિંહે દાવો કર્યો છે કે એ કોઈ અકસ્માત નહિ બલકે મર્ડર હતું. સિંહે પોતાના નજીકના દોસ્ત ફોરેન્સિક એક્સપર્ટ ડૉ ઉમાદથનના હવાલેથી આ દાવો કર્યો છે. શ્રીદેવી લગભગ દોઢ વર્ષ પહેલા દુબઈમાં બાથટબમાં ડૂબવાથી મૃત્યુ પામી હતી, જેને અકસ્માત માનવામાં આવી રહ્યો હતો. આના પર હવે ડીજીપી સિંહે કેરળના એક ન્યૂજપેપરમાં કોલમ લખીને કહ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુનું સત્ય કંઈક બીજું જ હોઈ શકે છે.

શ્રીદેવીની હત્યા થઈ હતી?
પોતાની કોલમમાં કેરળના ડીજીપી જેલ ઋષિરાજ સિંહે લખ્યુ્ કે જ્યારે મારા ખુદના મિત્ર, ફોરેન્સિક એક્સપર્ટ ડૉક્ટર ઉમાદથનને શ્રીદેવીના મૃત્યુ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે શ્રીદેવીનું મૃત્યુ એક હત્યા હોય શકે છે. ડૉ ઉમાદથનનું કહેવું હતું કે કોઈ ગમે તેટલા નશામાં હોય માણસ એક ફૂટ પાણીમાં ન ડૂબે. એ ત્યારે જ ડૂબશે જ્યારે કોઈ એના બંને પગ પકડશે અને પાણીમાં ડુબાવશે. એવામાં શક્ય છે કે તેને ડુબાવીને મારવામાં આવી હોય. ડૉક્ટર ઉમાદથનનું એક અઠવાડિયા પહેલા જ મૃત્યુ થયું છે. તેમને ક્રાઈમના મામલાના એક્સપર્ટ માનવામાં આવતા હતા.

મૃત્યુ સમયે ઉઠ્યા હતા સવાલ
શ્રીદેવીનું મૃત્યુ 24 ફેબ્રુઆરી 2019ના રોજ દુબઈની એક હોટલમાં થયું હતું. એક લગ્નમાં સામેલ થવા પરિવાર સાથે ત્યાં ગયેલ શ્રીદેવી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. જ્યાં બાથટબમાં પડવાથી તેનું મૃત્યુ થયું હતું. ત્યારે પણ તેમના મૃત્યુને લઈ સવાલ ઉઠ્યા હતા પરંતુ દુબઈ પોલીસે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આકસ્મિક મૃત્યુ ગણવામાં આવી. જણાવવામાં આવ્યું હતું કે નશાની હાલતમાં એક્ટ્રેસનું બાથટબમાં મૃત્યુ થયું હતું.

બોની કપૂરે કહ્યું- કોઈ પ્રતિક્રિયા આપવા નથી માંગતા
શ્રીદેવીના મૃત્યુને લઈ ડીજીપીએ આપેલ નિવેદન પર બોની કપૂરે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો. શ્રીદેવીના પતિ બોની દુબઈની એક હોટલમાં તેમની સાથે રોકાઈ હતી. ડીજીપીના નિવેદન પર તેમણે કહ્યું કે આવી બેવકૂફી ભરેલ કહાનીઓ પર પ્રતિક્રિયા આપવા નથી માંગતા. મને નથી લાગતું કે એવી કોઈ ચીજ પર પ્રતિક્રિયા આપવી જોઈએ. આ બસ એક કાલ્પનિક કહાની છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
