શું પ્રેગ્નેન્સી વિશે ખબર પડતા દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે કર્યા લગ્ન, જાણો શું કહ્યુ અભિનેત્રીએ
ઘણા લોકોએ કહ્યુ કે તમે બંનેએ લગ્ન એટલા માટે કર્યા કારણકે તમે પ્રેગ્નેન્ટ હતા. આના પર દીયા મિર્ઝાએ જવાબ આપ્યો છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી દીયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ પોતાના બૉયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. જેના લગભગ દોઢ મહિના બાદ હાલમાં જ તેણે જણાવ્યુ કે તે પ્રેગ્નેન્ટ છે અને માન બનવાની છે. દીયાએ બેબી બંપ ફ્લૉન્ટ કરીને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો તો તે ટ્રોલ થવા લાગી. ઘણા લોકોએ કહ્યુ કે તમે બંનેએ લગ્ન એટલા માટે કર્યા કારણકે તમે પ્રેગ્નેન્ટ હતા. આના પર દીયા મિર્ઝાએ જવાબ આપ્યો છે.

ઈન્સ્ટા પર કર્યો દીયાને સવાલ
ઈન્સ્ટા પર દીયાને પ્રેગ્નેન્સી અને લગ્ન માટે સવાલ થયો હતો. જેના પર તેણે કહ્યુ, એમ કહેવાય છે કે હું અને વૈભવ લગ્ન નહોતા કરતા. પ્રેગ્નેન્સીની ખબર પડતા અમે અચાનક લગ્ન પ્લાન કર્યા આ વાતમાં કોઈ દમ નથી. અમે પહેલા જ લગ્નનનો નિર્ણય લઈ ચૂક્યા હતા. જ્યારે અમે લગ્નની તૈયારીઓમાં લાગ્યા ત્યારે અમને પ્રેગ્નેન્સી વિશે જાણવા મળ્યુ. માટે આ પ્રકારની વાતોનો કોઈ અર્થ નથી.

મારા લગ્ન કરવાનુ કારણ મારી પ્રેગ્નેન્સી નથી
દીયા લખે છે કે ઘણી રસપ્રદ વાતો કરવામાં આવી રહી છે પરંતુ એ સ્પષ્ટ કરવુ જરુરી છે કે અમે લગ્ન પ્રેગ્નેન્સીના કારણે નથી કર્યા. દીયાએ કહ્યુ કે પહેલા પ્રેગ્નેન્સી વિશે જણાવવાનુ કારણ મેડિકલ સાથે જોડાયેલુ હતુ. અમને ખબર નહોતી કે બાળક સેફ છે કે નહિ. અમુક મુશ્કેલીઓ હતી. જ્યારે ડૉક્ટરે કહ્યુ કે તે બાળકની તબિયત માટે ચિંતામુક્ત છે ત્યારે અમે બધાને આ વિશે જણાવ્યુ. તેણે કહ્યુ કે લગ્ન અને પ્રેગ્નેન્સી બંને તેની જિંદગી માટે ખુશીની પળો છે.

હાલમાં જ દીયાએ આપી હતી પ્રેગ્નેન્સીની માહિતી
દીયા મિર્ઝાએ ગયા સપ્તાહે જ આપ્યા હતા પ્રેગ્નેન્સીના સમાચાર
દીયા મિર્ઝાએ ગયા સપ્તાહે, લગ્નના દોઢ મહિના બાદ જણાવ્યુ હતુ કે તે પ્રેગ્નેન્ટ છે. ત્યારબાદ સતત દીયા મિર્ઝાને ટ્રોલ કરવામાં આવી રહી હતી. જેનો જવાબ હવે તેણે આપ્યો છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ દીયા મિર્ઝાએ સાહિલ સંઘા સાથે પહેલા લગ્ન કર્યા હતા. લગભગ એક દશક સાથે રહ્યા બદા દીયા મિર્ઝા અને સાહિલ અલગ થઈ ગયા હતા. દિયા મિર્ઝાએ 2019માં સાહિલ સાથે અલગ થવાની ઘોષણા કરી હતી ત્યારબાદ તે વૈભવ સાથે રિલેશનમાં આવી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
