દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે કરાવી પોલિસ ફરિયાદ, આ અભિનેતાનુ પણ નામ
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહેલી દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહેલી દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. દિશાના પિતા સતીશ સાલિયાને મુંબઈના માલવાની પોલિસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં દીકરીના મોત બાદ તેના વિશે નિરાધાર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સાલિયાને આ ફરિયાદ ત્રણ લોકો સામે કરાવી છે. આ ત્રણ નામ પુનીત વસિષ્ઠ, સંદીપ મલાન અને નમન શર્મા છે. આમના પર દિશા સાલિયાનના મોત વિશે વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિશા સાલિયાને મુંબઈમાં કથિત રીતે 8 જૂને આત્મહત્યા કરી લીધી હતી.

અભિનેતા પુનીત વસિષ્ઠ સામે ફેસબુક પોસ્ટ માટે ફરિયાદ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના ફ્લેટમાં મૃત મળ્યા હતા. આના એક સપ્તાહ પહેલા તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનુ મોત થયુ હતુ. સુશાંતના મોત બાદ ઘણા લોકોએ આમાં ઘણા પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. અભિનેતા પુનીત વસિષ્ઠે આમાં સૂરજ પંચોલીનુ નામ પણ જોડ્યુ હતુ. હવે સૂરજ પંચોલી અને દિશા સાલિયાનના પરિવારે અભિનેતા પુનીત વસિષ્ઠ સામે ફરિયાદ નોંધાવી છે. પુનીત વસિષ્ઠે 30 જૂને સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોત કેસમાં સૂરજ પંચોલીનુ નામ જોડ્યુ હતુ. આ વિશે તેમની સામે ફરિયાદ થઈ છે.

દિશાના માતાપિતા કરી ચૂક્યા છે દીકરીને બદનામ ન કરવાની અપીલ
દિશા વિશે ઘણા પ્રકારના નિવેદન અપાયા બાદ ગયા અઠવાડિયે દિશા સાલિયાના માતાપિતાએ મૌન તોડીને કહ્યુ હતુ કે તેમની દીકરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમનુ કહેવુ છે કે પોતાના ફાયદા માટે અમારી દીકરીને બદનામ ન કરો. તે અમારુ એકમાત્ર સંતાન હતી. અમે અમારા એકમાત્ર સંતાનને ખોઈ દીધુ છે. હવે લોકો એની છબીને ખરાબ કરી રહ્યા છે. આ રીતે અમને ત્રાસ આપીને અમને મારી નાખવા માંગો છો. અમારુ ભારતના લોકોને, બધા મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય બધાને કહેવુ છે કે બધુ ખોટુ છે. બધા સમાચારો નકલી અને માત્ર અફવાઓ છે.

સીબીઆઈને મળી સુશાંત કેસની તપાસ
દિશા સાલિયાને આઠ જૂને કથિત રીતે એક બિલ્ડીંગમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતના બરાબર એક સપ્તાહ બાદ સુશાંત સિંહ રાજપૂતનુ શબ તેમના ઘરમાં મળ્યુ હતુ. પોલિસે જણાવ્યુ હતુ કે તેમણે પણ આત્મહત્યા કરી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અને અમુક ટીવી ચેનલોએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતને એકબીજાથી જોડીને બતાવ્યુ. એક ભાજપ નેતાએ દિશા સાથે બળાત્કાર બાદ તેની હત્યાની પણ વાત કહી. ત્યારબાદ પરિવારે આ બધુ બંધ કરવાની અપીલ કરી. વળી, હવે પરિવાર પોલિસ પાસે પહોંચ્યો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત










Click it and Unblock the Notifications
