ઈશા દેઓલ સાથે સાસરિયાવાળા કરતા આવો વ્યવહાર, અભિનેત્રીએ વર્ણવી પીડા, કહ્યુ - શૉર્ટસ નહોતા પહેરવા દેતા...
Esha Deol Bharat Takhtani: ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશા દેઓલના પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા થઈ ગયા છે. જેની માહિતી ખુદ દંપત્તિએ આપી હતી. લગ્નના 12 વર્ષના બ્રેકઅપ બાદ ઈશા દેઓલના કેટલાક જૂના ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેણે ભરત વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા.
વાસ્તવમાં, ઈશા દેઓલે તેની 'અમ્મા મિયા' લૉન્ચ કરી હતી જેમાં તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે લગ્નની શરૂઆત ઘણી સારી હતી પરંતુ ધીમે ધીમે ઘણું બદલાઈ ગયું. આ સિવાય ઈશાએ તેના સાસરિયાઓના વર્તન વિશે પણ જણાવ્યું.

ઈશા દેઓલે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 'જ્યારે અમે 2012માં લગ્ન કર્યાં ત્યારે ઘણું બદલાઈ ગયું હતું. હું મારા સાસરિયાંના ઘરે ટૂંકા વસ્ત્રો કે શૉર્ટસ પહેરીને ફરી શકતી ન હતી, જે રીતે લગ્ન પહેલાં હું મારા ઘરમાં ફરતી હતી. આ સિવાય અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તેના સાસરિયાઓ ખૂબ જ સારું વર્તન કરતા હતા.
તેના સાસરિયાઓનો ઉલ્લેખ કરતાં ઈશા દેઓલે કહ્યું કે તેણે માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં લીધી કે ઘરની તમામ મહિલાઓ તેમના પતિ માટે ટિફિન મોકલતી હતી. પરંતુ તેના સાસુએ ક્યારેય તેના પર ઘરના કામ અંગે દબાણ નહોતું કર્યું. ઉલટાનું, ઘરમાં તેની સાથે પરિવારના ત્રીજા પુત્ર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.
ઈશા દેઓલે તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે હું મારા સાસરિયાના ઘરમાં સૌથી મોટી વહુ હતી અને તેથી મને હંમેશા ઘણો પ્રેમ મળ્યો. તમને જણાવી દઈએ કે આ પુસ્તકમાં ઈશાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે બીજા બાળકના જન્મ પછી ભરત ઘણા અલગ રહેવા લાગ્યા હતા. તે અભિનેત્રીને સમય નહોતા આપતા.
તમને જણાવી દઈએ કે ઈશા દેઓલ અને ભરત તખ્તાની એક બીજાને બાળપણથી ઓળખતા હતા અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. આ પછી, બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2012માં લગ્ન કર્યા. બંનેને બે બાળકો પણ છે જે હાલમાં ઈશા દેઓલ સાથે રહે છે. હવે આ કપલે થોડા દિવસ પહેલા જ છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.












Click it and Unblock the Notifications
