પ્રકાશ ઝાની સત્યાગ્રહમાં એક સાથે પાંચ સંગીતકારો
મુંબઈ, 1 મે : દિગ્દર્શક પ્રકાશ ઝા પોતાની આગામી ફિલ્મ સત્યાગ્રહમાં એક સાથે પાંચ સંગીતકારોને લઈને આવી રહ્યાં છે.
ફિલ્મની ટીમના એક નજીકના સૂત્રે જણાવ્યું - પ્રકાશ ઝા ફિલ્મ સત્યાગ્રહના ગીતોને યુવાનોની પસંદ બનાવવા માટે પ્રતિષ્ઠિત સંગીતકારોને એક સાથે રજૂ કરવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી સલીમ-સુલેમા તથા દિલ્હીના ઇન્ડિયન ઓસિયન બૅન્ડ સાથે આ અંગે કરાર કરી લેવાયો છે. ફિલ્મના ત્રણ વધુ સંગીકારોની પસંદગી હજી બાકી છે.
ગીતના પ્રકાર ઉપર પ્રકાશ પાડતા એક સૂત્રે જણાવ્યું - કેટલાક ગીતો યુવાનોને આકર્ષનારા રહેશે, તો કેટલાંક રોમાંટિક, જ્યારે કેટલાંક ગીતો પરિસ્થિતિજન્ય રહેશે. યુવાઓની પસંદગી બને તેવા ગીતો માટે પ્રકાશ ઝા સાથે પ્રખ્યાત સંગીતકાર પ્રસૂન જોશી પણ પ્રથમ વાર જોડાઈ રહ્યાં છે.
સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અર્જુન રામપાલ અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે.