અમિતાભ અંકલ તમે જલ્દીથી સાજા થઈ જાઓ,.. પ્લીઝ...
મુંબઈ, 2 ઑક્ટોબર : સદીનો મહાનાયક બીમાર પડે અને તેના ચાહકો ચિંતિત ન થાય, એવું કેમ થઈ શકે? અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખી શું નાંખ્યું કે તેઓ બીમાર થઈ ગયાં છે, તેમના ચાહકો તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી દુઆઓ કરવા લાગ્યાં. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે અમિતાભ બચ્ચના ચાહકોની યાદીમાં નાનાં-નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આઠમા ધોરણમાં ભણતાં શશાંક તેમજ મયંકે પોતાની ફેસબુક વૉલ પર લખ્યું છે કે પ્લીઝ, અમિતાભ અંકલ, તમે જલ્દી સાજા થઈ જાઓ. તમે બીમાર થાવ છો તો અમને નથી ગમતું. અમે તમને જોવા માટે કેબીસીનો આતુરતાપૂર્વક ઇન્તેજાર કરીએ છીએ. જો આપ સાજા નહિં રહો, તો અમે કેબીસી કેવી રીતે જોઇશું?
તમને અંદાજો આવી ગયો હશે કે બિગ બીને લોકો કઈ હદે પ્રેમ કરે છે. બાળકોની માસૂમિયતમાં બનાવટ નથી હોતી. જ્યારે અમિતાભ બચ્ચન પણ આ પ્રકારની વાતો સાંભળશે, તો અમારો દાવો છે કે તેઓ જરૂર પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ઉઠશે.
નોંધનીય છે કે અમિતાભે ટ્વિટર દ્વારા આ વાત પોતાના ફૅન્સને જણાવી હતી કે તેઓ બીમાર છે. તેમણે એમ પણ લખ્યુ હતું કે તાજેતરમાં જ તેમની ઉપર જે સર્જરી કરાવાઈ છે, તેનો દુઃખાવો પણ તેમને થઈ રહ્યો છે. હાલ અમિતાભને સર્દી-ઉધરસની ફરિયાદ છે અને ઉધરસને કારણે તેમના પેટમાં જે સર્જરી થઈ છે તેમાં તેમને દુઃખાવો અનુભવાઈ રહ્યો છે. સર્જરી આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી.