Watch Trailer : જો જો ઘનચક્કર ન બની જતાં !
મુંબઈ, 30 માર્ચ :ઇમરાન હાશમી અને વિદ્યા બાલનને ચમકાવતી ઘનચક્કર ફિલ્મનું ફર્સ્ટ ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. ટ્રેલર એવું છે કે તેને જોઈ ઘનચક્કર થઈ જવાય. સિદ્ધાર્થ રૉય કપૂર તથા રૉની સ્ક્રૂવાલા નિર્મિત અને રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કરમાં ઇમરાન અને વિદ્યા બીજી વાર સાથે નજરે પડે છે.
ફિલ્મના ટ્રેલરમાં દર્શાવાયું છે કે ઇમરાન હાશમીને કેટલાંક લોકો ટ્રેનમાં પૈસા અંગે પૂછે છે અને ઇમરાન કહે છે કે કયા પૈસા? તે કોઈ પૈસા અંગે નથી જાણતો. પછી થોડાંક માસ અગાઉની વાર્તા દર્શાવાય છે કે જેમાં ઇમરાન અને તેની પત્ની વિદ્યા સાથે મજાનું જીવન પસાર કરતા હતાં. ટ્રેલર મુજબ ત્રણ લોકો કે જેમાંથી એકે અમિતાભ બચ્ચન અને એકે ધર્મેન્દ્રનો મુખવટો પહેરી રાખ્યો છે, ત્રણે મળી એસબીઆઈ એટીએમનું લૉકર તોડી પૈસા ચુરાવે છે. પછી દર્શાવાય છે કે ઇમરાન હાશમીની યાદદાશ્ત જતી રહી છે અને તેને કંઈ પણ યાદ નથી. પૈસા અંગે પણ તે બધુ ભૂલી ચુક્યો છે. હવે પૈસા ક્યાં અને કોની પાસે છે? આ સસ્પેંસ જ ફિલ્મની જાન હોય તેવું લાગે છે.
ઘનચક્કર ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર અને જાનદાર છે. ફિલ્મના અનેક ડાયલૉગ તથા ઇમરાન-વિદ્યાની એક્ટિંગ સારી દેખાય છે. ટ્રેલરમાં તો ઘણું બધું સારૂ દેખાય છે, પરંતુ હવે ફિલ્મ કેવી છે, તે તો સમય આવ્યે જ ખબર પડશે.
<center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/ClncY3AQxeg" frameborder="0" allowfullscreen></iframe></center></center>