બોલીવુડ એક્ટર મનોજ બાજપેયીની માતાનું નિધન
બોલીવુડના ટેલેન્ટેડ એક્ટર્સની યાદીમાં ટોચ પર રહેલા મનોજ બાજપેયીની માતાનું નિધન થયું છે. 80 વર્ષીય માતાને ઉંમર સંબંધિત બિમારીને કારણે તેમની માતા ગીતા દેવીને દિલ્હીના મેક્સ પુષ્પાંજલિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બોલીવુડના ટેલેન્ટેડ એક્ટર્સની યાદીમાં ટોચ પર રહેલા મનોજ બાજપેયીની માતાનું નિધન થયું છે. 80 વર્ષીય માતાને ઉંમર સંબંધિત બિમારીને કારણે તેમની માતા ગીતા દેવીને દિલ્હીના મેક્સ પુષ્પાંજલિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે સવારે 8:30 કલાકે તેમનુ અવસાન થયું હતું. હાલ તેમના નિધન પર ફેન્સ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
અભિનેતા મનોજ બાજપેયીએ તેમની માતાના મૃત્યુની પુષ્ટિ કરી અને જણાવ્યું હતું કે, તેઓ એક અઠવાડિયાથી વધુ સમયથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ આજે સવારે જ તેમનું નિધન થયું હતું.
મનોજ બાજપેયીની માતાની તબિયતમાં છેલ્લા કેટલાક દિવસોથી સુધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ ગુરૂવારની રાત્રે જ તેમની તબિયત લથડી હતી અને આજે સવારે તેમનું નિધન થયું હતું. આ સમય દરમિયાન અભિનેતા તેમની માતા સાથે હતા. મનોજ વ્યાપેયીએ
હંમેશા તેમની માતાને પોતાની શક્તિનો આધારસ્તંભ ગણાવ્યો છે. આવી સ્થિતિમાં અભિનેતા તેમની માતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે.
ઉલ્લેખનીય છે કે, મનોજ બાજપેયીના પિતાનું ગત વર્ષે ઓકટોબર મહિનામાં જ નિધન થયું હતું. મનોજ બાજપેયી તેમના પિતા અને માતા બંનેની નજીક હતા. હવે માતાના નિધનથી અભિનેતાનો આખો પરિવાર શોકમાં છે. અભિનેતા પણ ખૂબ ભાંગી પડ્યા છે.
મનોજની માતાના અવસાન વિશે માહિતી આપતાં અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે, મનોજ વ્યાપેયી, તમારી આદરણીય માતાના દુઃખદ અવસાન પર અમે તમને અને તમારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઓમ શાંતિ.